શહેરા ખાતે રાષ્ટ્રિય દિવ્યાંગ પાર્ટી દ્વારા ગાંધીજયંતીની ઉજવણી કરવામાં આવી

શહેરા, બીજી ઓકટોમ્બર મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ હોવાથી તેની ઉજવણી કરવામા આવે છે.શહેરાનગર સહિત અન્ય જગ્યાઓ પર મહાત્મા ગાંધીજીના જન્મજયંતીની ઉજવણી કરવામા આવી હતી.શહેરા ખાતે આવેલા વિશ્રામગૃહ ખાતે રાષ્ટ્રીય વિકલાંગ પાર્ટી અને યુગનિર્માણ દિવ્યાંગ ટ્રસ્ટના ઉપક્રમે ગાંધીજીની જન્મજયંતિની ઉજવણી કરવામા આવી હતી.
ગાંધીજીની તસવીરને ફુલહાર ચઢાવીને તેમની દેશપ્રત્યેની લાગણી અને આઝાદી માટેની તેમની લડતને યાદ કરવામા આવ્યા હતા.ઉપસ્થિત દિવ્યાંગ અગ્રણીઓ દ્વારા ગાંધીજીના વિચારોને લઈને આગળ વધવાનો અનુરોધ કર્યો છે.સાથે દિવ્યાંગો વધુમા વધુ સરકારનો લાભ લે તેમ પણ ઉપસ્થીત અગ્રણીઓ દ્વારા જણાવામા આવ્યુ હતુ.
કાર્યક્રમમા રાષ્ટ્રિય વિકલાંગ પાર્ટીના મહિસાગર જીલ્લા પ્રમૂખ બાબુભાઈ ખાંટ,સહમંત્રી પિન્ટુભાઇ વણઝારા,મહિલા મોર્ચાના જીગીશાબેન પટેલ, રાષ્ટ્રિય વિકલાંગ પાર્ટીના પંચમહાલ જીલ્લા પ્રમૂખ ગોવિંદભાઈ પટેલ, મંત્રી અતુલભાઈ,સહમંત્રી મોહનભાઈ તેમજ બળવંતભાઈ સહિત દિવ્યાંગ ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.