Western Times News

Gujarati News

પંજાબમાં રાજકીય કટોકટી માટે એટલી કોંગ્રેસ જવાબદાર છે જેટલી જ ભાજપઃ શિવસેના

મુંબઇ, શિવસેનાએ કહ્યું છે કે કોંગ્રેસ પાર્ટીને પૂર્ણકાલીન પ્રમુખની જરૂર છે. પાર્ટીએ કહ્યું કે કોંગ્રેસમાં નેતૃત્વની સમસ્યાએ પંજાબમાં રાજકીય કટોકટી માટે એટલી જ જવાબદાર છે જેટલી ભાજપ છે. મહારાષ્ટ્રમાં સત્તાધારી શિવસેનાએ દાવો કર્યો હતો કે, ભલે રાહુલ ગાંધી કોંગ્રેસ પાર્ટીમાં ઘણા મુદ્દાઓ ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યા હોય પરતું પાર્ટીના જૂના નેતાઓએ તેમને રોકવા માટે ભાજપ સાથે ગુપ્ત કરાર કર્યો છે અને તેથી તેઓ પાર્ટીને ડૂબવાનું નક્કી કર્યું હોય તેમ લાગે છે.

શિવસેનાએ તેના મુખપત્ર ‘સામના’માં તંત્રીલેખમાં લખ્યું છે કે,’ કોંગ્રેસને પૂર્ણકાલીન પ્રમુખની જરૂર છે. માથા વગરના શરીરનો શું ફાયદો ? કોંગ્રેસ બીમાર છે અને તેની સારવાર થવી જાેઈએ, પરંતુ સારવાર સાચી છે કે ખોટી તેની સમીક્ષા થવી જાેઈએ. “તંત્રીલેખમાં શિવસેનાએ આરોપ લગાવ્યો કે, રાહુલ ગાંધી કિલ્લાનું સમારકામ કરવા માંગે છે.

કિલ્લાને રંગવાની કોશિશ કરી રહ્યા છે. સીલ ખાડાઓ ભરવા માંગે છે, પરંતુ વૃદ્ધ લોકો રાહુલ ગાંધીને આમ કરવા દેતા નથી. રાહુલ ગાંધીને રોકવા માટે, આ લોકોએ અંદરથી ભાજપ જેવી પાર્ટી સાથે હાથ મિલાવ્યો છે, તે હવે પુષ્ટિ થઈ ગઈ છે. કોંગ્રેસને ડુબાડવા માટે કોંગ્રેસીઓએ સોપારી લીધી છે. તે સ્વીકાર્ય છે, પરંતુ કોંગ્રેસને કાયમી પ્રમુખ આપો. જાે તમે પાર્ટીના જનરલ નથી, તો પછી કેવી રીતે લડવું? ‘HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.