Western Times News

Gujarati News

શ્રી મુક્તજીવન સ્વામીબાપાની ૧૧૪ મી જયંતી ઉજવાઇ

અમદાવાદ, મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા પ્રવર્તમાન આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં ‘શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવ’ અંતર્ગત શ્રી મુક્તજીવન સ્વામીબાપા ૧૧૪ જયંતી અન્વયે સ્વામીબાપાનું પૂજન – અર્ચન, વિવિધ તુલા તેમાજ શોભાયાત્રા કાઢવામાં આવી હતી.

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાને કોવિડ વેક્સિનેશન માટે મણિનગર તેમજ રાણીપ ખાતે હોલની વ્યવસ્થા કરી હતી. જેમાં ડોક્ટરો અને નર્સોને રહેવાની તેમજ જમવાની પણ વ્યવસ્થા પુરી પાડી હતી. ૧,૩૦,૦૦૦ ઉપરાંતનું અભૂતપૂર્વ વેક્સિનેશન થયું હતું.

કોવિડમાં જે જે મૃત્યુ પામ્યા હતા તેઓને પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. ડો. તેજશ શાહ – ડેપ્યુટી હેલ્થ ઓફિસર સાઉથ ઝોન – અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનને – શ્રી સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજને સન્માનપત્ર અર્પણ કર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.