Western Times News

Gujarati News

જામનગરના ચંગાના પાટીયા પાસે અકસ્માતમાં યુવાનનું મોત

જામનગર, જામનગરના દરેડ અને પીપરટોડા પાસે સર્જાયેલા અકસ્માતમાં બે યુવકોના અકાળે મોત નિપજ્યાના બનાવમાં જુદી જુદી બે ફરિયાદ નોંધાઈ છે.

જામજાેધપુર તાલુકાના સડોદર ગામમાં રહેતાં જ્યોતીબેન જીતેશભાઈ તૈરીયા (ઉ.વ.૪ર) નામના મહિલા અને તેમના પતિ જીતેશભાઈ તૈરીયા (ઉ.વ.૪પ) નામના દંપતી ગત તા.૧૭/૮/ર૧ના રોજ જામનગરથી પોતાના ગામ જતા હતાં

અને તેઓ લાલપુરના પીપરટોડા ગામથી આગળથી પસાર થતા હતાં. ત્યારે સામેથી આવતી કાર ચાલકે બાઈકને હડફેટે લઈને ૧૦ થી ૧પ ફુટ સુધી ઢસડીને જીતેશભાઈનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજાવ્યું હતું.

જ્યારે તેમની પત્ની જયોતીબેનને શરીરે ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણી સાજા થયા બાદ કાર ચાલક સામે ગઈકાલે સાંજે લાલપુર પોલીસ સ્ટેશનમાં કાર ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.

જામનગર તાલુકાના દરેડ ગામમાં રહેતા અજય દિલીપભાઈ ગોદડીયા નામના યુવક ગત તા.ર૦/૯/ર૧ના રોજ કારખાનેથી ચાલીને ચંગાના પાટીયા તરફ રોડની સાઈડમાં ચાલીને ઘરે જતા હતાં.

ત્યારે પાછળથી આવતાં બાઈક ચાલકે યુવકને હડફેટે લઈને શરીરે ગંભીર ઈજા પહોંચાડીને નાશી છુટયો હતો. યુવકનું સારવાર દરમ્યાન મૃત્યુ નિપજતાં દિલીપભાઈ ગોદડીયાએ બાઈક ચાલક સામે ગુનો નોંધાવ્યો છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.