Western Times News

Gujarati News

સંભવિત વાવાઝોડા સમયે તકેદારી રાખવા  માર્ગદર્શિકા જાહેર કરાઇ

ગુજરાતના વેરાવળથી દક્ષિણ-પૂર્વ દિશામાં વાવાઝોડું આકાર લઇ રહ્યું છે, ત્યારે વાવાઝોડાની સંભવિત પરિસ્થિતિને  પહોંચી વળવા તથા નાગરિકોને તકેદારી રાખવા માટે જી.એસ.ડી.એમ.એ. દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઇ છે.  જી.એસ.ડી.એમ.એ.ના સી.ઇ.ઓ. શ્રી અનુરાધા મલે વાવાઝોડા દરમિયાન શું કરવું અને શું ન કરવું એ સંબંધી માહિતી આપી છે:

  • વાવાઝોડા પહેલાની તૈયારી
    • રહેઠાણની મજબૂતીની ખાતરી કરી લો અને બાંધકામને લગતી ક્ષતિઓ દૂર કરો.
    • સમાચારો અને ચેતવણીઓ સતત સાંભળતા રહો.
    • આપના રેડીયો સેટને ચાલું હાલતમાં રાખો, ચકાસી લો.
    • સ્થાનિક અધિકારીઓના સતત સંપર્કમાં રહેવા પ્રયત્ન કરો.
    • ઢોર-ઢાંખરને ખૂંટાથી છુટા કરી રાખો.
    • માછીમારોએ દરિયામાં જવું નહીં, બોટ સલામત સ્થળે લાંગરવી.
    • અગરિયાઓએ સલામત સ્થળે ખસી જવું.
    • આશ્રય લઈ શકાય તેવા ઉંચા સ્થળો ધ્યાન રાખો.
    • સુકો નાસ્તો, પાણી, ધાબળા, કપડાં અને પ્રાથમિક સારવારની કીટ સાથે રાખો.
    • અગત્ય ટેલીફોન નંબર હાથ વગા રાખો.
  • વાવાઝોડા દરમિયાન તકેદારીના પગલા:
    • જર્જરીત મકાન કે વૃક્ષ નીચે આશ્રય ન લેવા માટે સમજ આપવી.
    • રેડિયો પર સમાચાર સાંભળતા રહો અને સૂચનાઓનો અમલ કરો.
    • વાવાઝોડા સમયે બહાર નીકળવાનું સાહસ કરવું નહીં.
    • વાવાઝોડાના સમયે રેલ મુસાફરી કે દરિયાઇ મુસાફરી હિતાવહ નથી.
    • વીજ પ્રવાહ તથા ગેસ કનેક્શન બંધ કરી દેવા સલાહ આપી આપવી.
    • દરિયા નજીક, ઝાડ નીચે કે વીજળીના થાંભલા કે લાઈનો નજીક ઊભા રહેશો નહીં.
    • વીજળીના થાંભલાથી દૂર રહેવા સલાહ આપવી.
    • માછીમારોને દરિયામાં જતા રોકવા અને હોડીઓ સલામત સ્થળે રાખવી.
    • અગરિયાઓ અગરો છોડી સલામત સ્થળે આશરો લેવો.
    • ખોટી અથવા અધૂરી જાણકારી વાળી માહિતી અર્થાત અફવા ફેલાવતી અટકાવો, આધારભૂત સૂચનાઓને અનુસરો.
  • વાવાઝોડું આવે ત્યારે શું કરવું / શું ન કરવું:

જ્યારે સ્થળાંતર માટે સ્થળ ખાલી કરવાની સૂચના આપવામાં આવે ત્યારે

  • થોડા દિવસો સુધી તમારી અને તમારા પરિવારને જીવંત રાખવા માટે મહત્વપૂર્ણ વસ્તુઓ પેક કરો જેમાં બાળકો અને વૃદ્ધ લોકો માટે જરૂરી દવાઓ ખોરાક અને વસ્ત્રો હોય.
  • તમારા વિસ્તાર માટે સૂચવાયેલ યોગ્ય આશ્રય અથવા ખાલી કરાયેલ સ્થાનો પર જાઓ.
  • મિલકત વિશે ચિંતા કરશો નહીં.
  • આશ્રય ફરજ પરની વ્યક્તિની સૂચનાઓનું પાલન કરો.
  • જ્યાં સુધી આશરે સ્થળ છોડવાની સૂચના આપવામાં ન આવે ત્યાં સુધી આશરે સ્થાનમાં જ રહો.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.