Western Times News

Gujarati News

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની જર્સી લોન્ચ

નવી દિલ્હી, ભારતીય ક્રિકેટ બોર્ડે ટી-20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જર્સી લોન્ચ કરી દીધી છે. બોર્ડે ટ્વિટર પર આ જર્સીમાં વિરાટ કોહલી, રોહિત શર્મા, કે એલ રાહુલ, રવિન્દ્ર જાડેજા અને જસપ્રીત બુમરાહની તસવીર શેર કરીને લખ્યુ છે કે, જર્સીની પેટર્ન પ્રશંસકોની ઈચ્છાથી પ્રેરીત છે.

ભારતની મેજબાનીમાં આ વખતે ટી 20 વર્લ્ડ કપ યુએઈમાં અને ઓમાનમાં રમાવાનો છે. આઈપીએલની ફાઈનલ બાદ ક્રિકેટ ચાહકોનુ ધ્યાન આ વર્લ્ડકપ પર કેન્દ્રીત થશે. 24 ઓક્ટોબરે ભારત પોતાની પહેલી મેચ પાકિસ્તાન સામે રમીને વર્લ્ડકપ અભિયાનની શરૂઆત કરશે. આ મેચ દુબઈમાં રમાવાની છે. ભારતનો એ પછીનો મુકાબલો 31 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ સામે અને ત્રણ નવેમ્બરે અફઘાનિસ્તાન સામે થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.