Western Times News

Gujarati News

89 વર્ષ પહેલાં ૧૫ ઓક્ટોબર ૧૯૩૨ના રોજ ટાટા એરની ફ્લાઈટનો પ્રારંભ થયો હતો

પ્રતિકાત્મક

કચ્છ, ૮૯ વર્ષ પૂર્વે ૧૫ ઓક્ટોબર ૧૯૩૨ના રોજ ટાટા કંપનીના જનક જેઆરડી ટાટાએ ટાટા એર સર્વિસની પ્રથમ ફ્લાઇટ કરાંચીથી જુહુનો પ્રારંભ કર્યો હતો. આ ઐતિહાસિક ઘટનાનું પુનરાવર્તન હવે ફરી થશે. બે મહાસાગર પાર કરનારી આરોહી પંડિત ૧૫ ઓકટોબરે એર ઈન્ડિયાનું એરક્રાફ્ટની ભુજથી જુહુની ઉડાન ભરશે.

જેઆરડી ટાટાને શ્રદ્ધાંજલિ આપવા માટે બે મહાસાગરો પ્લેન દ્વારા પાર કરનારી વિશ્વની પ્રથમ મહિલા પાયલોટ આરોહી પંડિત સોમવારે ભૂજ આવી પહોંચ્યા છે. ત્યારે ભૂજ નજીકના માધાપર ખાતેના પાટ હનુમાનજી મંદિરમાં તેમનું ટ્રસ્ટીગણ દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આરોહીએ સર્વેનો આભાર વ્યક્ત કરી માતાજીની મૂર્તિની આરતી ઉતારી સફળતાની કામના કરી હતી.

જિલ્લા મથક ભુજ સમીપે આવેલા માધાપર ગામના પાટ હનુમાનજી મંદિર ખાતે ચાલી રહેલી નવરાત્રિ મહોત્સવ પ્રસંગે ઉપસ્થિત આરોહી પંડિતના હસ્તે મા અંબેની આરતી ઉતારવામાં આવી હતી. તેમની સાથે માધાપરની ૧૯૭૧ના યુદ્ધમાં એરસ્ટ્રીપ તૈયાર કરનારી વિરાંગનાઓ પણ જાેડાઈ હતી.

જેમણે કોરોનાની બીજી લહેર દરમિયાન કોરોના વોરિયર તરીકે પણ ફરજ બજાવી હતી. આરતી બાદ પાટ હનુમાનજી મંદિર સંસ્થાના ટ્રસ્ટી પ્રવીણભાઈ ખોખાણી દ્વારા આરોહી પંડિતનું વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત બહેનો વડીલોએ અભિનંદન સાથે આગામી એર ટ્રીપ માટે તેમને શુભેચ્છા પાઠવી હતી.

બે મહાસાગર પાર કરનારી વિશ્વની પ્રથમ મહિલા પાયલોટ આરોહી પંડિત આગામી ૧૫ ઓક્ટોબરના રોજ ભૂજથી જુહુ માટેની ઉડાન ભરશે. માધાપર ખાતેના ધાર્મિક પ્રસંગે ઉપસ્થિત રહેલા આરોહી પંડિતે પોતાના સન્માન બદલ સર્વેનો આભાર વ્યક્ત કરી જણાવ્યું હતું કે, ૨૦૧૭માં તેમણે પ્લેન ઉડાવતા શીખ્યું અને આગળ જતાં મને બે મહાસાગરને પાર કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.

આવુ જ સૌભાગ્ય ફરી મને મળી રહ્યું છે, જેમાં પાકિસ્તાન સાથેના યુદ્ધ વખતે આપણા એરફોર્સને મદદરૂપ થનારા વીરાંગનાઓનું મારા હસ્તે સન્માન થવાનું છે. હું ખુદને ખુશનસીબ માનું છુ. આ દરમ્યાન તેમની ભૂજ ટુ જુહુ એર ટ્રીપ માટે તેઓ અતિ ઉત્સાહિત અને રોમાંચિત હોવાનું જાણવા મળ્યું હતું.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.