Western Times News

Gujarati News

અમરાઈવાડી મર્ડરના આરોપીને ગણતરીનાં કલાકોમાં ઝડપી લેવાયો

(પ્રતિનિધિ) અમદાવાદ, અમરાઈવાડીમાં મંગળવારે સાંજે એક શખ્શની હત્યા કરવામાં આવી હતી જેનો આરોપી ફરાર થઈ ગયો હતો જેને ક્રાઈમબ્રાંચની એક ટીમે ગણતરીની કલાકોમાં જ ઝડપી લઈ અમરાઈવાડી પોલીસને સોંપી દેવાયો હતો.

આ અંગેની વિગત એવી છે કે મંગળવારે બપોરે અમરાઈવાડી અમૃતાનગરમાં બુટલેગર સંજય ઉર્ફે ઠુંઠીયો ચાવડા (અમૃતાનગર, અમરાઈવાડી) એક મહીલા સાથે ઝઘડતો હતો. ત્યાંથી પસાર થતા યોગેન્દ્ર ઉર્ફે સંજય પરમાર વચ્ચે પડતાં સંજયે તેને છરીના ઘા મારતાં તેનું મૃત્યુ થયું હતું જેથી સંજય ત્યાંથી ફરાર થઈ ગયો હતો જેને પગલે ક્રાઈમબ્રાંચ પીઆઈ બ્રહ્મભટ્ટની ટીમે બાતમી મળતાં ફરાર સંજયને ઓઢવ રીંગરોડ ઉપર આવેલી રોયલ હોટલની પાછળ આવેલા ખુલ્લા મેદાનમાંથી ઝડપી લીધો હતો અને અમરાઈવાડી પોલીસને સોંપ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.