Western Times News

Gujarati News

અજય દેવગણને થપ્પડ મારીને રડવા લાગ્યો હતો દીકરો યુગ

મુંબઈ, અજય દેવગણ સ્ટારર ફિલ્મ ‘ગોલમાલ અગેન’ના હાલમાં જ ચાર વર્ષ પૂરા થયા છે. રોહિત શેટ્ટીના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મ સુપરહિટ રહી હતી અને લોકોએ તેને ખૂબ પસંદ પણ કરી હતી. ફિલ્મમાં અરશદ વારસી, પરિણીતી ચોપરા, તબ્બુ, તુષાર કપૂર, શ્રેયસ તળપડે, નાના પાટેકર તેમજ કુણાલ ખેમૂ પણ હતો. પરંતુ શું તમે જાણો છો કે આ ફિલ્મ જાેયા બાદ અજય દેવગણને તેના દીકરા યુગે થપ્પડ મારી હતી.

અજય દેવગણે આ ખુલાસો એક ઈન્ટરવ્યૂમાં કર્યો હતો. ઈન્ટરવ્યૂમાં જ્યારે અજય દેવગણને ફિલ્મ જાેયા બાદ તેની પત્ની કાજાેલ અને દીકરા યુગનું રિએક્શન કેવુ હતું તેમ પૂછવામાં આવ્યું ત્ચારે તેણે કહ્યું હતું કે, તેના દીકરાએ તેને થપ્પડ મારી દીધી હતી.

અજય દેવગણે કહ્યું હતું કે ‘તેઓ દરેક સીન પર ખૂબ હસ્યા હતા. કાજાેલ તો ચૂપ જ નહોતી થઈ રહી. પરંતુ ફિલ્મના સેકન્ડ હાફમાં મારો દીકરો રડવા લાગ્યો હતો. તે બે વખત રડ્યો હતો અને મને થપ્પડ પણ મારી હતી. પરિણીતીના મોતવાળા સીન પર તે રડી રહ્યો હતો. તેની આંખમાંથી આંસુ નીકળી રહ્યા હતા. તે મારા ખોળામાં બેઠો હતો અને મેં જ્યારે તેને પૂછ્યું તો તેણે મને કહ્યું હતું કે, તે રડ્યો હોય ત્યારે સામે ન જાેવું’.

‘ગોલમાલ અગેન’ ૨૦૧૭માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ ‘ગોલમાલ’ ફ્રેન્ચાઈઝીની ચોથી ફિલ્મ હતી. ફિલ્મમાં અજય દેવગણને કોમિક રોલમાં ઘણો પસંદ કરવામાં આવ્યો હતો.

‘ગોલમાલ અગેન’ ૨૦૧૭માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ ‘ગોલમાલ’ ફ્રેન્ચાઈઝીની ચોથી ફિલ્મ હતી. ફિલ્મમાં અજય દેવગણને કોમિક રોલમાં ઘણો પસંદ કરવામાં આવ્યો હતો.

પ્રોફેશનલ વર્ક ફ્રંટની વાત કરીએ તો, અજય દેવગણ ફિલ્મ ‘સૂર્યવંશી’માં જાેવા મળશે, જેમાં અક્ષય કુમાર લીડ રોલમાં છે. આ ફિલ્મ ૫મી નવેમ્બરે રિલીઝ થવાની છે.

આ સિવાય અજય દેવગણ પાસે ફિલ્મ મેડે, મેદાન અને ગંગુબાઈ કાઠિયાવાડી પણ છે. ગંગુબાઈ કાઠિયાવાડીમાં આલિયા ભટ્ટ લીડ રોલમાં છે અને તે ગંગુબાઈના પાત્રમાં દેખાશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.