Western Times News

Gujarati News

અમદાવાદમાં ચિકનગુનિયાના એક હજાર કેસઃ છેલ્લા ૧૫ વર્ષમાં સૌથી વધુ

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય રોગચાળો વકરી રહયો છે. ચોંમાસાની સીઝન દરમ્યાન વરસાદી પાણીનો ભરાવો, સમયસર સ્વચ્છતા તેમજ દવા છંટકાવ અભાવના પરીણામે મચ્છરોની ઉત્પતિ વધી છે સાથે સાથે ડેન્ગયુ અને ચીકનગુનિઆ જેવા જીવલેણ રોગના કેસ પણ વધી રહયા છે.

ચિંતાજનક બાબત એ છે કે ર૦૦૬ની સાલમાં ચીકનગુનીઆના આતંક બાદ શહેરમાં પ્રથમ વખત ચીકનગુનિયાના કેસની સંખ્યા એક હજારને આંબી ગઈ છે. છેલ્લા દોઢ દાયકામાં ચીકનગુનિઆના સૌથી વધુ કેસ ર૦ર૧માં કન્ફર્મ થયા છે.

સ્માર્ટ સીટી અમદાવાદના નાગરીકો વધુ એક વખત રોગચાળાના સકંજામાં આવી ગયા છે .શહેરમાં કોરોનાના કેસમાં ઘટાડો થયો છે પરંતુ મચ્છર અને પાણીજન્ય રોગના કેસ વધી રહયા છે. ખાસ કરીને ચીકનગુનિઆના કેસ ચિંતાજનક હદે વધી રહયા છે. અમદાવાદ શહેરમાં ર૦૦૬ની સાલમાં ચીકનગુનિઆએ ખરા અર્થમાં આતંક મચાવ્યો છે.

ર૦૦૬માં ૬૦૭૭૭ શંકાસ્પદ દર્દી નોંધાયા હતા જેની સામે માત્ર ૮ર કન્ફર્મ કેસ હોવાના દાવા જે તે સમયે તંત્ર તરફથી કરવામાં આવ્યા હતા ત્યારબાદ ર૦૧૩માં ૩૪૯ કેસ નોધાયા હતા ર૦ર૦માં કોરોના કાળમાં ચીકનગુનિઆના સૌથી વધુ ૯ર૩ કેસ નોધાયા છે.

જેના કરતા પણ વધુ કેસ ર૦ર૧માં નોધાયા છે. મ્યુનિ. સુત્રોએ જણાવ્યા મુજબ ર૦ર૧માં ઘરે-ઘરે ચીકનગુનીઆના દર્દી જાેવા મળી રહયા છે પરંતુ તંત્રના ચોપડે ૧૬ ઓકટોબર સુધી ૯૬૮ કેસ કન્ફર્મ થયા છે જે રપ ઓકટોબર સુધી એક હજારને આંબી શકે છે.

શહેરમાં ચીકનગુનીયાના સાથે સાથે ડેન્ગયુનો રોગચાળો પણ વધી રહ્યો છે. ૨૦૨૧માં ડેન્ગયુના કેસનો આંકડો બે હજાર સુધી પહોંચી ગયો છે. ૧૬ ઓક્ટોબર સુધી ડેન્ગ્યુના ૧૯૬૨ કેસ નોંધાયા હતા. હાલ દૈનિક ૨૦ કેસની સરેરાશ છે. તથી કેસની સંખ્યા બે હજારને પાર કરી ગઈ હશે તેવો અંદાજ છે. ૨૦૨૦માં ડેન્ગ્યુના માત્ર ૪૩૨ કેસ નોંધાયા હતા. આમ, ગત વર્ષની સરખામણીએ ડેન્ગ્યુના કેસમાં પાંચ ગણો વધારો થયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.