Western Times News

Gujarati News

૨૪ કલાકમાં કોરોનાના નવા ૧૬ કેસ સામે આવ્યા

ગાંધીનગર, રાજ્યમાં કોરોના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૧૬ કેસ સામે આવ્યા છે. તો આ દરમિયાન ૧ વ્યક્તિનું મૃત્યુ થયું છે.

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૦ લોકો કોરોનાને માત આપીને સાજા થયા છે. આ સાથે રાજ્યમાં કુલ સંક્રમિતોનો આંકડો ૮ લાખ ૨૬ હજાર ૪૩૪ પર પહોંચી ગયો છે. રાજ્યમાં કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી ૮ લાખ ૧૬ હજાર ૧૮૭ લોકો સાજા થયા છે. તો ૧૦ હજાર ૮૮ લોકોના નિધન થયા છે.

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ કેસ વલસાડ જિલ્લામાં નોંધાયા છે. વલસાડમાં ૫ કેસ સામે આવ્યા છે. તો સુરત જિલ્લામાં ૭ કેસ સામે આવ્યા છે. નવસારી અને વડોદરા શહેરમાં બે-બે કેસ નોંધાયા છે. તો એક દર્દીનું નિધન વલસાડમાં થયું છે. અમદાવાદ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં એકપણ કેસ નોંધાયો નથી.

ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ૧૫૯ છે, જેમાં ૫ દર્દીઓ વેન્ટિલેટર પર છે. રાજ્યમાં કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી ૮ લાખ ૧૬ હજાર ૧૮૭ લોકો સાજા થયા છે. તો ૧૦ હજાર ૮૮ લોકોના નિધન થયા છે. રાજ્યનો રિકવરી રેટ ૯૮.૭૬ ટકા છે.

ગુજરાતમાં આજે સાંજે ૪ કલાક સુધીમાં ૨ લાખ ૭૫ હજાર ૨૫૪ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. તો ગુજરાતમાં અત્યાર સુધી ૬ કરોજ ૮૯ લાખ ૮૩ હજાર ૩૬૦ વેક્સીનના ડોઝ આપી દેવામાં આવ્યા છે, જેમાં પ્રથમ અને બીજાે ડોઝ સામેલ છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.