Western Times News

Gujarati News

પાક.માં જમીન વિવાદમાં શિયા-સુન્નીની અથડામણમાં ૧૧નાં મોત

પ્રતિકાત્મક તસવીર

ઈસ્લામાબાદ, ઉત્તર પશ્ચિમ પાકિસ્તાનના આદિવાસી વિસ્તારમાં જંગલની જમીનના વિવાદિત કબજાને લઈને બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. કુર્રમ જિલ્લાના કોહાટ વિભાગમાં શિયા-સુન્ની વચ્ચેની અથડામણમાં ઓછામાં ઓછા ૧૧ લોકો માર્યા ગયા અને ૧૫ ઘાયલ થયા.

એક વિશ્વસનીય સૂત્રના જણાવ્યા અનુસાર વિવાદિત પર્વતીય જંગલોમાં વૃક્ષો કાપવાને લઈને બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. બંને પક્ષો તરફથી ગોળીબારમાં અત્યાર સુધીમાં ૧૧ લોકો માર્યા ગયા છે અને ૧૫ ઘાયલ થયા છે, એમ સૂત્રએ જણાવ્યું હતું. આ દરમિયાન ભારે હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને ગઈકાલથી લડાઈ ચાલી રહી છે.

શાંતિ સ્થાપવા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પાકિસ્તાન વધતી સાંપ્રદાયિક હિંસાનો સામનો કરી રહ્યું હોવાથી, અલ-કાયદા અને તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન સાથે જાેડાયેલા સશસ્ત્ર સુન્ની જૂથો ઘણીવાર શિયાના મંડળો પર હુમલો કરે છે, જે દેશની મુસ્લિમ વસતીના લગભગ ૨૦ ટકા છે.

બીજી તરફ, વડા પ્રધાન ઇમરાન ખાને પ્રતિબંધિત કટ્ટરપંથી ઇસ્લામિક જૂથો સામે ઘૂંટણ ટેકવી દીધા છે. પ્રતિબંધિત કટ્ટરપંથી ઇસ્લામિક જૂથ તહરીક-એ-લબૈક પાકિસ્તાન (ટીએલપી) એ ચેતવણી આપી હતી કે તેના કાર્યકરો મંગળવાર સાંજ સુધીમાં ઇસ્લામાબાદ તરફ આગળ વધશે.

આ જ કારણ છે કે પ્રતિબંધિત કટ્ટરપંથી ઇસ્લામિક જૂથના દબાણ હેઠળ, પાકિસ્તાન સરકારે રવિવારે તહરીક-એ-લબૈક પાકિસ્તાન (ટીએલપી) ના ૩૫૦ થી વધુ કાર્યકરોને મુક્ત કર્યા. એટલું જ નહીં, ટીએલપીએ જાહેરાત કરી હતી કે બાકીના કાર્યકરો સામેના કેસ પણ બુધવાર સુધીમાં પાછા ખેંચી લેવામાં આવે.

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનમાં વધતી સાંપ્રદાયિક હિંસા સાથે વિપક્ષી રાજકીય પાર્ટીઓએ પણ ઈમરાન સરકારને ઘેરવાનું શરૂ કરી દીધું છે. તાજેતરમાં બહાર પાડવામાં આવેલા અહેવાલ મુજબ, વર્લ્‌ડ જસ્ટિસ પ્રોજેક્ટના કાયદાના નિયમ સૂચકાંક ૨૦૨૧ રેન્કિંગમાં પાકિસ્તાન ૧૩૯ દેશોમાંથી ૧૩૦મા સ્થાને છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.