Western Times News

Gujarati News

સાબરમતી નદીનું પાણી પીવાલાયક તો ઠીક, નાહવા લાયક પણ રહયુ નથી

Riverfront Ahmedabad Gujarat

શાસ્ત્રીબ્રીજ પાસે નદીના પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ શૂન્ય: વરસાદી પાણીના નાળામાં પણ કેમીકલયુક્ત પાણી: બીઓડીનું પ્રમાણ પપ૦ અને સીઓડીનું પ્રમાણ ૧૪૪૮ સુધી પહોંચ્યુઃ મ્યુનિ.અધિકારીઓએ આશ્રર્યજનક રીતેે જલવિહાર પ્લાન્ટના ટેસ્ટિંગ ન કર્યા

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદની આગવી ઓળખ અને ધરોહર સાબરમતી નદી દિન-પ્રતિદીન પ્રદુષિત થઈ રહી છે. પૂર્વ મ્યુનિ. કમીશ્નરે માત્ર ચાર મહીનામાં નદી શુધ્ધ કરવા માટે કરેલા દાવા અને વાયદા કર્યાં હતા જે પોકળ સાબિત થયા છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા જ નદીમાં મોટી માત્રામાં સુઅરેજ વોટર છોડવામાં આવી રહયું છે. તેવી જ રીતે જી.આઈ.ડી.સી ટર્મીનલ પરથી કેમીકલયુકત પાણી પણ ટ્રીટ કર્યા વિના જ “બાયપાસ” થાય છે.

જેના પરીણામે નદીમાં જીવલેણ બેકટેરીયાની માત્રા વધી રહી છે. જેનો ભોગ ૪૦ કરતા વધુ ગામના ખેડૂતો અને રહીશો બની રહયા છે. કેન્દ્રીય પોલ્યુશન બોર્ડ દ્વારા નદીના પાણીમાં “બાયોલોજીકલ ઓકસીજન ડીમાન્ડ” અને “કેમીકલ ઓકસીજન ડીમાન્ડ” ના જે પેરામીટર નકકી કરવામાં આવ્યા છે.

તેના કરતા અનેકગણા વધુ માત્રામાં BODઅને COD સાબરમતીના પાણીમાં હોવાનું પ્રમાણિત થઈ રહયું છે. પીરાણા ૧૮૦ એમએલડી પ્લાન્ટના વિવાદ બાદ હાઈકોર્ટે પણ ટકોર કરી હતી કે સાબરમતીનું પાણી પીવાલાયક રહયું નથી પરંતુ વાસ્તવિકતા એ છે કે નદીનું પાણી પીવાલાયક તો ઠીક નાહવા લાયક પણ રહયું નથી. ચોંકાવનારી બાબત એ છે કે મ્યુનિ. કોર્પો.એ CPCB દ્વારા નદીના પાણી માટે જે પેરામીટર નકકી કર્યાં છે તેનો સ્વીકાર હજી સુધી કર્યો નથી.

દેશની સૌથી વધુ પ્રદુષિત નદીઓમાં સાબરમતી નદીનો સમાવેશ થાય છે. જેનું મુખ્ય કારણ મ્યુનિ. કોર્પોરેશનની બેદરકારી હોવાનું માનવામાં આવે છે. મ્યુનિ.કોર્પોરેશન સુઅરેજ વોટર ટ્રીટમેન્ટ માટે ૮૦૦ એમએલડી ક્ષમતાના કુલ રપ પ્લાન્ટ બનાવ્યા છે.

તેમ છતાં દૈનિક ૩૦૦ થી ૪૦૦એમએલડી સુઅરેજ વોટર ડાયરેકટર નદીમાં છોડવામાં આવે છે. જેના પરીણામે નદી પ્રદુષિત થઈ રહી છે. તેમાં જીવલેણ બેકટેરીયાનું પ્રમાણ વધી રહયું છે. પોલ્યુશન કંટ્રોલ બોર્ડના પેરામીટર મુજબ એક લીટર પાણીમાં વધુમાં વધુ ૧૦ મીલીગ્રામ BOD અને પ૦ મીલીગ્રામ COD હોવા જાઈએ. જેની સામે સાબરમતી નદીમાં BOD અને COD ની માત્રા અનેકગણ વધુ છે.

શહેરમાં સાબરમતી નદીનો જે સ્થળે થી પ્રવેશ થાય છે. તે સ્થળે બીઓડીનું પ્રમાણ ઓછુ છે જયારે લેમન ટ્રી હોટલ ખાનપુર પાસે બીઓડીનું પ્રમાણ માત્ર ૭ છે જયારે સીઓડીનું પ્રમાણ ૩૬.૭૬ છે જે એકદમ સામાન્ય છે. જયારે શાસ્ત્રીબ્રીજ પાસે બીઓડીનું પ્રમાણ પપ૦ અને સીઓડીનું પ્રમાણ ૧૪પ૦ મીલીગ્રામ સુધી થઈ જાય છે.

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટ્રીટ કર્યા વગર જે સુએરજ વોટર બાયપાસ કરવામાં આવે છે. તેમાં બીઓડી અને સીઓડીની માત્રા અનેક ગણી વધારે છે.

પીરાણા ૧૦૬ એમએલડીમાં બીઓડી ૪પ અને સીઓડી ૭૮.૭ર પીરાણા ૧૮૦ એમએલડી આઉટલેટમાં બીઓડી ૧ર૦ અને સીઓડી ર૬૭.૯પ, બીઓડી ૧૦૩ અને સીઓડી ર૧ર.પ૪, ૧૦૬ અને ૬૦ એમએલડીની કોમન ચેનલના આઉટલેટમાં બીઓડી ૧૦૪ અને સીઓડી ર૧ર.પ૪ જયારે પીરાણા ટર્મીનલ પર બીઓડી ૧૭પ અને સીઓડી ૩૭૭.૮પ હોવાની વિગતો બહાર આવી છે.

ચોંકાવનારી બાબત એ છે કે વરસાદી પાણીના નિકાલ માટે બનાવવામાં આવેલ સ્ટ્રોમ વોટર લાઈનોમાં પણ કેમીકલના પાણી છોડવામાં આવે છે જુની બે સ્ટ્રોમ વોટર લાઈનમાં શાસ્ત્રીબ્રીજ પાસે બીઓડી પપ૦ અને સીઓડી ૧૪૪૮ જયારે નવી બે સ્ટ્રોમ લાઈનમાં શાસ્ત્રીબ્રીજ પાસે બીઓડી ૧૬પ અને સીઓડી ૩૮પ છે.

મ્યુનિ. કોર્પો. ની બેદરકારીના પરીણામે જ એસટીપીમાંથી ટ્રીટ થયેલ સુઅરેજ વોટરમાં બીઓડીની માત્રા વધુ હોવાનું સાબિત થયું છે. તેથી સાબરમતી નદીનું પાણી પીવા કે ખેતીમાં ઉપયોગ કરવા લાયક તો નથી જ પરંતુ સીપીસીબીના પેરામીટર સાથે સરખામણી કરીએ તો સાબરમતી નદીનું પાણી નાહવા લાયક પણ રહયું નથી.

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા દૈનિક ૧૮ કરોડ લીટર દુષિત પાણી નદીમાં છોડવામાં આવી રહયું છે જેના કારણે માનવીય અને જળચર જીવોની જિંદગી પણ જાેખમાઈ રહી છે. સીપીસીબીના પેરામીટર મુજબ જળચર જીવો માટે ઓકસીજનની માત્રા ઓછામાં ઓછી ૪ તેમજ પીવાલાયક પાણી માટે ડીસોલ્વ ઓકસીજનની માત્રા પ હોવી જરૂરી છે પરંતુ કોર્પોરેશન તરફથી જે રીતે દુષિત પાણી છોડવામાં આવી રહયું છે તેના કારણે શાસ્ત્રીબ્રીજ પાસે ઓક્સિજનની માત્રા ૦ થી ૧ છે.

મ્યુનિ. કોર્પોરેશનની બેદરકારીનો ભોગ ૪૩ ગામના રહીશો બની રહયા છે

અમદાવાદ, મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સાબરમતી નદીમાં છોડવામાં આવતા પ્રદુષિત પાણીના કારણે શહેરના નાગરિકો અને નદીના જળચર જીવો તો ભોગ બની જ રહયા છે પરંતુ સાથે સાથે આસપાસના ૪૦ કરતા વધુ ગામના લોકો પણ વિવિધ પ્રકારની બીમારીનો ભોગ બની રહયા છે.

મ્યુનિ. આંતરીક સુત્રોના જણાવ્યા મુજબ સાબરમતી નદીની અ-શુધ્ધિનો ભોગ ૪૩ ગામના રહીશો બની રહયા છે. ઈન્ડીયન ઈન્સ્ટીટયુટ ઓફ પબ્લીક હેલ્થના સર્વેમાં ચોકાવનારા તારણો બહાર આવ્યા છે. સદ્દર સંસ્થાએ ૪૩ ગામ ના ૬૩૭ ઘરમાં પીવાલાયક પાણી સ્થળે રાખવામાં આવે છે. તેના પરીક્ષણ કર્યા હતા. જેમાં રર૬ ઘરમાં ઈ-કોલાઈ બેકટેરીયાની માત્રા ૧૧થી ૧૦૦૦ સુધી હતી.

જયારે ૮૮ મકાનોમાં તેનું પ્રમાણ ૧૦૦ થી ૧૦૦૦ અને ૧ર મકાનમાં તેની માત્રા ૧૦૦૦ થી ૧૮૦૦ પ્રતી ૧૦૦ મી.લી.પાણીમાં જાવા મળી છે. વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન ના પેરામીટર મુજબ પ્રતિ ૧૦૦ મી.લી.પાણીમાં ઈ-કોલાઈ બેકટેરીયાની માત્રા વધુમાં વધુ દસ હોવી જાઈએ. ઈ-કોલાઈ બેકટેરીયાના કારણે જ ઝાડા-ઉલ્ટી નો રોગ થાય છે. સાબરમતી નદીના પાણીનો ૪૩ ગામમાં સિંચાઈ તરીકે પણ ઉપયોગ થાય છે. આ ગામોની ૯૪પ૦ હેકટર જમીનમાં સાબરમતી નદીના પાણીમાંથી ખેતી થાય છે.

આ ખેતરોમાં કામ કરનાર ખેડૂતો અને મજૂરો તેમની સાથે ઈ-કોલાઈ તેમજ અન્ય જીવલેણ બેકટેરીયા સાથે લઈને જાય છે. જેનો ભોગ તેમના પરીવારજનો પણ બને છ.

નદીના પાણીમાં બીઓડીની વધુ માત્રા જળચર જીવ અને પશુ-પક્ષીઓ માટે પણ જીવલેણ માનવામાં આવે છે. જયારે સીઓડીની માત્રા વધુ હોવાના કારણે ચામડીનો રોગ થાય છે. અમદાવાદ નજીકના અનેક ગામોમાં ચામડીનો રોગ જાવા મળે છે. આ ગામોના રહીશો ને હાથ-પગમાં બળતરા થવાની સમસ્યા કાયમી બની ગઈ છે.

સાબરમતી નદી ના પ્રદુષણ નો મામલો બે વર્ષ અગાઉ સંસદના ચોમાસુ સત્રમાં પણ ઉઠયો હતો. કેન્દ્ર સરકારે સાબરમતી, તાપી અને મીડોલા નદીના શુધ્ધિકરણ માટે રૂ.૧૧૭૯.૭૮ કરોડની ફાળવણી કરી છે. એક રીપોર્ટ મુજબ નદીના કેટલાક હિસ્સાના પ્રદુષણ મામલે ગુજરાત નો પાંચમો નંબર છે. મહારાષ્ટ્રમાં પ૩, આસામમાં ૪૪, મધ્યપ્રદેશ રર, કેરલમાં ર૧ તથા ગુજરાતમાં ર૦ પ્રદુષીત સ્પોટ છે.

નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે પણ ઓકટોબર ર૦૧૮માં સાબરમતીના પાણીને નહાવાલાયક કરવા માટે તાકીદ કરી હતી. મ્યુનિ.કમીશ્નરે આ તમામ “સળગતી સમસ્યા” નો નિકાલ કરવામાં લેશમાત્ર રસ નથી ! મ્યુનિ.કમીશ્નરને ત્રણ બ્રીજ વચ્ચે નદીના પરમાંથી પથ્થરો અને ધાર્મિક સામગ્રી દૂર કરીને “ગોબલ્સ પ્રચાર” કરવામાં જ રસ છે.

મ્યુનિ. કમીશ્નર ખરા અર્થમાં નદીને શુધ્ધ કરવા ઈચ્છતા હોય તો બ્રીજ પાસે કેમીકલ અને સુઅરેજ યુકત વોટરને બાયપાસ થતા બંધ કરાવવા જાઈએ તેમજ નદીના પાણીમાં બીઓડી અને સીઓડી નું જે પ્રમાણ કે તેમાં ઘટાડો કરવાની દિશામાં કાર્યવાહી કરવી જાઈએ તેવી ચર્ચા પણ ચાલી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.