Western Times News

Gujarati News

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની બેદરકારીનો ભોગ ૪૩ ગામના રહીશો બની રહયા છે

Files Photo

સાબરમતિમાં ઓક્સિજનનું પ્રમાણ ઓછુ હોવાથી જળચર જીવોની જીંદગી પણ જાેખમમાં

(પ્રતિનિધિ) અમદાવાદ, મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સાબરમતી નદીમાં છોડવામાં આવતા પ્રદુષિત પાણીના કારણે શહેરના નાગરિકો અને નદીના જળચર જીવો તો ભોગ બની જ રહયા છે પરંતુ સાથે સાથે આસપાસના ૪૦ કરતા વધુ ગામના લોકો પણ વિવિધ પ્રકારની બીમારીનો ભોગ બની રહયા છે.

મ્યુનિ. આંતરીક સુત્રોના જણાવ્યા મુજબ સાબરમતી નદીની અ-શુધ્ધિનો ભોગ ૪૩ ગામના રહીશો બની રહયા છે. ઈન્ડીયન ઈન્સ્ટીટયુટ ઓફ પબ્લીક હેલ્થના સર્વેમાં ચોકાવનારા તારણો બહાર આવ્યા છે. સદ્દર સંસ્થાએ ૪૩ ગામ ના ૬૩૭ ઘરમાં પીવાલાયક પાણી સ્થળે રાખવામાં આવે છે. તેના પરીક્ષણ કર્યા હતા. જેમાં રર૬ ઘરમાં ઈ-કોલાઈ બેકટેરીયાની માત્રા ૧૧થી ૧૦૦૦ સુધી હતી.

જયારે ૮૮ મકાનોમાં તેનું પ્રમાણ ૧૦૦ થી ૧૦૦૦ અને ૧ર મકાનમાં તેની માત્રા ૧૦૦૦ થી ૧૮૦૦ પ્રતી ૧૦૦ મી.લી.પાણીમાં જાવા મળી છે. વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન ના પેરામીટર મુજબ પ્રતિ ૧૦૦ મી.લી.પાણીમાં ઈ-કોલાઈ બેકટેરીયાની માત્રા વધુમાં વધુ દસ હોવી જાઈએ. ઈ-કોલાઈ બેકટેરીયાના કારણે જ ઝાડા-ઉલ્ટી નો રોગ થાય છે.

સાબરમતી નદીના પાણીનો ૪૩ ગામમાં સિંચાઈ તરીકે પણ ઉપયોગ થાય છે. આ ગામોની ૯૪પ૦ હેકટર જમીનમાં સાબરમતી નદીના પાણીમાંથી ખેતી થાય છે. આ ખેતરોમાં કામ કરનાર ખેડૂતો અને મજૂરો તેમની સાથે ઈ-કોલાઈ તેમજ અન્ય જીવલેણ બેકટેરીયા સાથે લઈને જાય છે. જેનો ભોગ તેમના પરીવારજનો પણ બને છ.

નદીના પાણીમાં બીઓડીની વધુ માત્રા જળચર જીવ અને પશુ-પક્ષીઓ માટે પણ જીવલેણ માનવામાં આવે છે. જયારે સીઓડીની માત્રા વધુ હોવાના કારણે ચામડીનો રોગ થાય છે. અમદાવાદ નજીકના અનેક ગામોમાં ચામડીનો રોગ જાવા મળે છે. આ ગામોના રહીશો ને હાથ-પગમાં બળતરા થવાની સમસ્યા કાયમી બની ગઈ છે.

સાબરમતી નદી ના પ્રદુષણ નો મામલો બે વર્ષ અગાઉ સંસદના ચોમાસુ સત્રમાં પણ ઉઠયો હતો. કેન્દ્ર સરકારે સાબરમતી, તાપી અને મીડોલા નદીના શુધ્ધિકરણ માટે રૂ.૧૧૭૯.૭૮ કરોડની ફાળવણી કરી છે. એક રીપોર્ટ મુજબ નદીના કેટલાક હિસ્સાના પ્રદુષણ મામલે ગુજરાત નો પાંચમો નંબર છે. મહારાષ્ટ્રમાં પ૩, આસામમાં ૪૪, મધ્યપ્રદેશ રર, કેરલમાં ર૧ તથા ગુજરાતમાં ર૦ પ્રદુષીત સ્પોટ છે.

નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે પણ ઓકટોબર ર૦૧૮માં સાબરમતીના પાણીને નહાવાલાયક કરવા માટે તાકીદ કરી હતી. મ્યુનિ.કમીશ્નરે આ તમામ “સળગતી સમસ્યા” નો નિકાલ કરવામાં લેશમાત્ર રસ નથી ! મ્યુનિ.કમીશ્નરને ત્રણ બ્રીજ વચ્ચે નદીના પરમાંથી પથ્થરો અને ધાર્મિક સામગ્રી દૂર કરીને “ગોબલ્સ પ્રચાર” કરવામાં જ રસ છે.

મ્યુનિ. કમીશ્નર ખરા અર્થમાં નદીને શુધ્ધ કરવા ઈચ્છતા હોય તો બ્રીજ પાસે કેમીકલ અને સુઅરેજ યુકત વોટરને બાયપાસ થતા બંધ કરાવવા જાઈએ તેમજ નદીના પાણીમાં બીઓડી અને સીઓડી નું જે પ્રમાણ કે તેમાં ઘટાડો કરવાની દિશામાં કાર્યવાહી કરવી જાઈએ તેવી ચર્ચા પણ ચાલી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.