Western Times News

Gujarati News

સીરતે પોતાની દીકરીઓની જવાબદારી સ્વર્ણાને સોંપી

મુંબઈ, સ્ટાર પ્લસની સૌથી લોકપ્રિય ટીવી સીરિઝ યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં હવે રસપ્રદ વળાંક આવાવનો છે. સીરિયલમાં હવે ત્રીજી પેઢીની સ્ટોરી જાેવા મળશે. આગામી એપિસોડમાં હવે સીરિયલનો આખો ટ્રેક બદલાઈ જશે. હવે એપિસોડમાં એવુ કંઈ થવાનું છે જેના કારણે વાર્તા, પાત્રો બધું જ બદલાઈ જશે.

દર્શકોએ પાછલા એપિસોડમાં જાેયું કે કાર્તિકની ફ્લાઈટની કોઈ ખબર નથી મળી રહી જેના કારણે સીરત પરેશાન થઈ જાય છે. તેને સમજ નથી પડતી કે હવે શું કરવું, માટે તે પ્રાર્થના કરે છે. સીરત પતિની સુરક્ષા માટે મંદિર જવા નીકળે છે. મંદિર જતા પહેલા તે સ્વર્ણાને અક્ષુ અને આરોહીની જવાબદારી સોંપે છે.

સીરત મંદિર જતા પહેલા સ્વર્ણાને કહે છે કે, તમે બધું સંભાળી લેજાે. હવે આગામી એપિસોડ ઘણો રસપ્રદ હશે. નવી કાસ્ટના કારણે આ શૉની ચર્ચા પાછલા ઘણાં દિવસથી થઈ રહી છે. શોના મેકર્સે ઘણાં નવા ચહેરા ઉમેર્યા છે. હવે શિવાંગી જાેશી અને મોહસિન ખાને શો છોડી દીધો છે, માટે હવે ટ્રેક પણ બદલવામાં આવ્યો છે. તેમના પાત્રો એટલે કે કાર્તિક અને સીરતના મૃત્યુ દર્શાવાવમાં આવશે.

બન્નેના મૃત્યુ પછી ટીવી સીરિયલમાં લીપ જાેવા મળશે. હવે તેમના બાળકો આ શૉને આગળ વધારશે. અપકમિંગ એપિસોડમાં જાેવા મળશે કે, મંદિર જતા પહેલા સીરત સ્વર્ણાને અક્ષુ અને આરોહીની જવાબદારી સોંપે છે. સીરત ગોયનકા હાઉસથી બહાર નીકળીને મંદિર જાય છે.

પ્રોમો પરથી લાગી રહ્યું છે કે અક્ષરા અને આરોહી પણ સીરતની સાથે સાથે મંદિર જાય છે. ભારે પવન ફૂંકાતો હોવાને કારણે સીરત આરોહીને કહે છે કે તું મંદિરમાં જ ઉભી રહે, હું સીડી પરથી અક્ષરાને લઈને આવુ છું. આ દરમિયાન સીડી પરથી તેનો પગ લપસી જાય છે અને તે નીચે પડી જાય છે.

આ દરમિયાન તેના હાથમાં કાર્તિકની તસવીર હોય છે. સીરતના મૃત્યુ પછી માતૃત્વની જવાબદારી સ્વર્ણાના ખભા પર આવશે. હવે સ્વર્ણા આ બન્ને દીકરીઓને કેવી રીતે મોટી કરશે, કેવી રીતે સાચવશે તે જાેવાની વાત છે. નવા પાત્રો શોની લોકપ્રિયતાને જાળવી રાખશે કે કેમ તે આવનારા સમયમાં જ ખબર પડશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.