Western Times News

Gujarati News

નીરજ ચોપડા-રવિ દહિયા સહિત 11 ખેલાડીઓને ખેલ રત્ન એવોર્ડ મળશે

નવી દિલ્હી,  ખેલ મંત્ર્યાલયે ખેલ રત્ન સહિત અર્જુન પુરસ્કાર માટે પસંદ કરવામાં આવેલા ખેલાડીઓની જાહેરાત કરી છે.  ટોક્યો ઓલિમ્પિક 2021માં ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીતવાવાળા એથલીટ નીરજ ચોપડાને આ વર્ષે ખેલ રત્ન પુસ્કાર માટે પસંદગી કરવામાં આવી છે.

નીરજ ઉપરાંત મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજ અને ફુટબોલ ટીમનો કેપ્ટન સુનીલ છેત્રી સહિત 10 અન્યને પણ દેશના પ્રતિષ્ઠિત ખેલ રત્ન માટે પસંદગી કરવામાં આવી છે. બીજી તરફ શિખર ધવન સહિત 35 ખેલાડીઓની અર્જુન પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી છે.

આ વર્ષે સ્પોર્ટ્સ એવોર્ડની જાહેરાત ઓલિમ્પિક અને પેરાલિમ્પિક ગેમ્સને કારણે મોકૂફ રાખવામાં આવી હતી, જેના કારણે આ વખતે એવોર્ડ્સ આપવામાં મોડું થયું છે. આ પહેલીવાર છે જ્યારે એક સાથે આટલા બધા ખેલાડીઓને ખેલ રત્ન માટે પસંદ કરવામાં આવ્યા છે. ગયા વર્ષે 5 ખેલાડીઓને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ વખતે ઓલિમ્પિક અને પેરાલિમ્પિક ખેલાડીઓએ જલવો દેખાડ્યો હતો. ટોક્યો ઓલિમ્પિકમાં દેશનું નામ રોશન કરનાર નીરજ સહિત 4 મેડલ વિજેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યારે ટોક્યો પેરાલિમ્પિક્સના ઘણા વિજેતાઓમાંથી 5 ખેલાડીઓને આ વખતે સન્માનિત કરવામાં આવશે. 11 ખેલ રત્ન ઉપરાંત, રાષ્ટ્રીય રમત પુરસ્કારો માટે તૈયાર કરાયેલ સમિતિએ 35 અર્જુન પુરસ્કારોની પણ જાહેરાત કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.