Western Times News

Gujarati News

રાજ્યમાં કોરોનાના નવા કુલ ૩૧ કેસ સામે આવ્યા

ગાંધીનગર, ગુજરાતમાં આજે કોરોનાના આંકડા આંખ ઉઘાડનારા આવ્યા છે. આજે કોરોનાના નવા ૩૧ કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ ૧૪ દર્દીઓ સાજા પણ થયા. અત્યાર સુધીમાં કુલ ૮,૧૬,૨૬૦ નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.

જેના પગલે કોરોનાનો ગુજરાતનો રિકવરી રેટ પણ ૯૮.૭૫ ટકાએ પહોંચ્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજના દિવસમાં કુલ ૩,૬૪,૧૯૯ ડોઝ એક જ દિવસમાં આપવામાં આવ્યા હતા. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ ૨૦૮ એક્ટિવ કેસ છે. જે પૈકી ૦૫ નાગરિકો વેન્ટીલેટર પર છે. ૨૦૩ નાગરિકો સ્ટેબલ છે.

૮,૧૬,૨૬૦ નાગરિકોને અત્યાર સુધીમાં ડિસ્ચાર્જ થઇ ચુક્યા છે. ૧૦૦૮૯ નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે મોત નિપજ્યાં છે. સુરતમાં એક નાગરિકનું આજે કોરોનાને કારણે મોત નિપજ્યું હતું. જામનગર કોર્પોરેશનમાં ૫, વડોદરા કોર્પોરેશન ૫, વલસાડમાં ૪, સુરત ૩, સુરત કોર્પોરેશન ૩, અમદાવાદ કોર્પોરેશન, આણંદ, જુનાગઢ, કચ્છ અને રાજકોટ કોર્પોરેશનમાં ૨-૨ કેસ નોંધાયા હતા.

જ્યારે નવસારીમાં ૧ કેસ નોંધાયો હતો. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી ૯ ને પ્રથમ ડોઝ, ૧૫૪૦ ને બીજાે ડોઝ આપવામાં આવ્યા હતા. ૪૫ વર્ષથી વધારેની ઉંમરના ૧૧૯૨૫ નાગરિકોને રસીનો પ્રથમ અને ૮૬૫૩૦ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાયો હતો.

૧૮-૪૫ વર્ષના ૩૫૨૦૩ નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે ૨૨૮૯૯૨ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. આ પ્રકારે એક જ દિવસમાં કુલ ૩,૬૪,૧૯૯ રસીના ડોઝ એક જ દિવસમાં અપાયા હતા. ૭૦૬૦૬૪૨૧ નાગરિકોનું અત્યાર સુધીમાં રસીકરણ થઇ ચુક્યું છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.