Western Times News

Gujarati News

મુખ્યમંત્રીએ અમદાવાદ ભદ્રકાળી મંદિરમાં દર્શન-પૂજન કર્યાં

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે નૂતન વર્ષ વિક્રમ સંવત ૨૦૭૮ ના પ્રથમ દિવસે અમદાવાદના સુપ્રસિદ્ધ ભદ્રકાળી મંદિરમાં દર્શન-પૂજન કર્યાં હતાં અને નવું વર્ષ ગુજરાતના અવિરત વિકાસ અને સૌ પ્રજાજનોની આરોગ્ય સુખાકારી સાથે સુખ, સમૃદ્ધિ અને વિકાસ લાવનારું બને તેવી પ્રાર્થના કરી હતી.

આ પ્રસંગે તેઓની સાથે અમદાવાદના મેયર કિરીટ પરમાર, પૂર્વ મેયર અમિત શાહ અને અન્ય અગ્રણીઓ પણ જોડાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.