Western Times News

Gujarati News

હવેનું એક અઠવાડિયું મહત્વપૂર્ણ: સિવિલ હૉસ્પિટલના સુપ્રીન્ટેન્ડેન્ટ

અમદાવાદ, અમદાવાદમાં કોરોના વાયરસના કેસ વધતા તંત્ર અલર્ટ થયું છે. વધુમાં વધુ લોકો સરળતાથી ટેસ્ટ કરાવી શકે તે માટે શહેરમાં અલગ અલગ જગ્યાએ ટેસ્ટિંગ ડોમ ઊભા કરવામાં આવ્યા છે. દિવાળી સમયે જે ભીડ જાેવા મળી હતી, તેના કારણે કોરોનાના કેસ વધશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.

જે હાલ સાચી સાબિત થઈ રહી છે. અમદાવાદ સિવિલ હૉસ્પિટલના સુપ્રીન્ટેન્ડેન્ટનું કહેવું છે કે, કોરોનાના કેસ વધ્યા છે પરંતુ હાલ સ્થિતિ નિયંત્રણમાં છે. હવેનું એક અઠવાડિયું મહત્વપૂર્ણ રહેશે. કોરોના વાયરસના હાલ જે કેસ આવી રહ્યા છે, તેમાં અન્ય રાજ્યમાંથી આવતા લોકોના વધારે છે. જાે કે, રાહતની વાત એ છે કે, રસીકરણના લીધે લોકોમાં ગંભીર અસર જાેવા મળી રહી નથી.

આ વિશે મળતી માહિતી પ્રમાણે અમદાવાદમાં કોરોના વાયરસના કેસ વધતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે, બીજી બાજુ તંત્ર પણ કેસોને કારણે એલર્ટ છે. શહેરમાં કોરોના વાયરસના કેસને અકુંશમાં લાવવા માટે ટેસ્ટિંગ પ્રક્રિયા પર ભાર મૂકવામાં આવી રહ્યું છે. વધુમાં વધુ લોકો સરળતાથી ટેસ્ટિંગ કરાવી શકે એ માટે શહેરમાં ફરી કોરોના ટેસ્ટિંગ ડોમ ઉભા કરાયા છે.

ફરી એકવાર વધી રહેલા કોરોના કેસ વધતા અમદાવાદ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જાેશીનું મહત્ત્વપૂર્ણ નિવેદન સામે આવી રહ્યું છે. હાલ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં માત્ર ૧ જ કોરોના પોઝિટિવ દર્દી સારવાર હેઠળ છે અને ૪ શંકાસ્પદ દર્દીઓ દાખલ છે. દિવાળી સમયે જે ભીડ જાેવા મળી ત્યારે કોરોનાના કેસો વધશે એવી આશંકા હતી. કોરોનાના કેસો વધ્યા પણ ખરા પરંતુ સ્થિતિ નિયંત્રણમાં છે.

તેમણે ઉમેર્યું હતું કે, હવે આગામી એક અઠવાડિયું મહત્વપૂર્ણ રહેશે, જે લોકો બહાર ફરીને આવ્યા છે એમનું મોનીટરીંગ જરૂરી રહેશે. જે કેસો પણ અત્યારે આવે છે એવા કિસ્સાઓમાં અન્ય રાજ્યમાં ફરવા ગયેલા અને પરત ફરેલા લોકો વધારે છે. શહેરમાં સારા પ્રમાણમાં વેકસીનેશન થયું છે એટલે હોસ્પિટલાઈઝેશન આ વખતે જાેવા મળી રહ્યું નથી, જે સારી વાત છે. સિવિલ હોસ્પિટલ કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા સક્ષમ છે.

સિવિલમાં હાલ પણ ૨૦૦ બેડ અલગથી કોરોના માટે ફાળવવામાં આવ્યા છે. એ સિવાય તમામ જરૂરી દવાનો સ્ટોક પણ ઉપલબ્ધ છે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરમાં છેલ્લા ૫ દિવસમાં ૮૪ કેસો નોંધાયા છે, જેમાં ૧૩ નવેમ્બરે ૧૦, ૧૪ નવેમ્બરે ૧૧, ૧૫ નવેમ્બરે ૧૫, ૧૬ નવેમ્બરે ૨૦, ૧૭ નવેમ્બરે ૨૮ કેસો નોંધાયા છે. શહેરમાં કેસો વધતા એએમસીને સતત જુદા જુદા વિસ્તારોમાં આવેલી સોસાયટીઓમાં કન્ટેઈંમેન્ટ ઝોન બનાવવાની ફરજ પડી રહી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.