Western Times News

Gujarati News

હથિયારનું લાયસન્સ ધરાવો છો, તો વાંચો ગુજરાત બહાર ચાલશે નહિં

પ્રતિકાત્મક

રાજયના હથિયારધારકોને હવે ઓલ ઈન્ડીયા પરમીટ નહીં મળે

ગાંધીનગર, રાજ્યમાં રિવોલ્વર સહિતના હથિયારનો પરવાનો મેળવવા માંગતા લોકોને અથવા ગુજરાતમાં હથિયાર નો પરવાનો ધરાવનાર ધારકોને ઓલ ઈન્ડીયા પરમીટ નહીં આપવાનો નિર્ણય રાજ્યના ગૃહમંત્રાલય દ્વારા લેવામાં આવ્યો છે.

હથિયારધારકોને ગુજરાત બહાર પ્રવાસ કરવાના સંજાેગોમાં વધુમાં વધુ બે દિવસની મર્યાદામાં જર્ની લાયસન્સ મળી જાય એવી વ્યવસ્થા ગોઠવવા સુચના આપવામાં આવી છે. ગૃહ વિભાગે આ મામલે તમામ લાયસન્સી, ઓથોરીટી પોલીસ કમિશ્નર અને જીલ્લા કલેકટર તથા પોલીસ અધિક્ષકોને લેખિત આદેશ આપ્યા છે.

ગૃહ વિભાગે જણાવ્યુ હતુ કે ઓલ ઇન્ડીયા પરમીટ આપ્યા બાદ જાહેર સલામતી અંગે કે શસ્ત્રની હેરાફેરી પર રાજ્ય પલીસની કોઈ ભૂમિકા રહેતી નથી કે ટ્રેક પણ રહેતો નથી. આ સંજાેગોમાં સલામતીની રીતે તે જરૂરી છે કે ઓલ ઇન્ડીયા પરમીટને બદલે ગણતરીના કલાકોમાં જ પરવાનેદાર જર્ની પરમીટ માંગે ત્યારે આપવામાં આવે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.