ચેમ્બુરમાં કેટરિંગ વ્યાવસાયિકની આત્મહત્યા: સ્યુસાઇડ નોટમાં રાજકારણીનું નામ હોવાની ચર્ચા

Files Photo
મુંબઇ, ચેમ્બુરમાં કેટરિંગ વ્યાવસાયિકે ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવી લીધુ હતું. મૃતકે સ્યુસાઇડનોટ લખી હતી. એમાં અમૂક રાજકારણીના નામનો ઉલ્લેખ હોવાનું કહેવાય છે. અનેક રાજકીય નેતાઓએ લાખો રૃપિયાનો ઓર્ડર આપ્યો હતો. પણ પછી તેમણે પૈસા ન ચૂકવતા આ વ્યાવસાયિકે આત્મહત્યા કરી હોવાની ચર્ચા થઇ રહી છે.
કેટરિંગ વ્યાવસાયિક પ્રકાશ દેવનાર, ગોવંડી, ચેમ્બુરમાં જમવાનો ઓર્ડર લેતો હતો. અનેક નેતાઓએ જમવાનો ઓર્ડર આપી પૈસાની ચૂકવણી કરી નહોતી.
આથી પ્રકાશ માનસિક રીતે ભાંગી ગયો હતો. આર્થિક અડચણના લીધે હતાશામાં પ્રકાશે તેના ઘરમાં ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી હતી. જેને લીધે સંપૂર્ણ પરિસરમાં ખળભળાટ મચી ગયો હતો. નેતાઓ સામે કડક કાર્યવાહીની માગણી કરવામાં આવી હતી. પોલીસે સ્યુસાઇડનોટના આધારે વધુ તપાસ આદરી છે.HS