Western Times News

Gujarati News

સલમાન ખુરશીદના પુસ્તક પર બેન મુકવાની પિટિશન દિલ્હી હાઈકોર્ટે ફગાવી

નવી દિલ્હી, હિન્દુત્વની સરખામણી ISIS જેવા આંતકી સંગઠનો સાથે કરવા બદલ કોંગ્રેસ નેતા સલમાન ખુરશીદનુ પુસ્તક સનરાઈઝ ઓવર અયોધ્યા તાજેતરમાં વિવાદોમાં આવ્યુ હતુ.

આ પુસ્તક પર પ્રતિબંધ મુકવાની પિટિશન હવે દિલ્હી હાઈકોર્ટે પણ ફગાવી દીધી છે.કોર્ટે ક્હ્યુ હતુ કે, લોકો આટલી હદે સંવેદનશીલ હોવાનુ મહેસૂસ કરતા હોય તો અમે શું કરીએ..કોઈએ તેમને આ પુસ્તક વાંચવા માટે કહ્યુ નથી.તમે આંખો બંધ કરી દો અને પુસ્તકને ના વાંચો…

ઉલ્લેખનીય છે કે, પિટિશનમાં કહેવાયુ હતુ કે, હિન્દુત્વની સરખામણી ISIS અને બોકો હરામ જેવા આતંકી સંગઠનો સાથે કરવામાં આવી હોવાથી કરોડો હિન્દુઓની લાગણી ઘવાઈ છે.

ઉલ્લેખનીય છે કે, સલમાન ખુરશીના પુસ્તકને લઈને થયેલા વિવાદ બાદ તેમના નૈનિતાલ ખાતે આવેલા ઘરમાં પણ આગચંપી કરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.