Western Times News

Gujarati News

સસરાએ પુત્રવધુની હત્યા કર્યાની આશંકાથી ચકચાર

બોટાદ, બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના કેરાળા ગામે એક મહિલાની સગા સસરાએ પથ્થર અને ત્રિકમના ઘા મારી હત્યા કરી હોવાની ઘટનાથી ભારે અરેરાટી અને ચકચાર ફેલાઈ જવા પામેલ છે. આ ઘટનાની જાણ થતા બોટાદ (બોટાદ )જિલ્લા પોલીસ વડા તથા ડીવાયએસપી અને ગઢડા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

આ અગે આધારભૂત વર્તુળોમાંથી પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળતી તેમજ ચર્ચાતી વિગત અનુસાર કેરાળા ગામે રહેતા ભોપાભાઈ સરીયા તેમના દિકરા રમેશભાઈ અને મુનાભાઈ સાથે રહે છે અને તેઓ મજૂરી કામ કરી પોતાનુ ગુજરાન ચલાવે છે.

ભોપાભાઈના મોટા દિકરો રમેશભાઈએ હામાપર ગામે લગ્ન કરેલ છે જયારે બીજા નાના દિકરો મુનાભાઈએ પરપ્રાંતિય મહિલા સાથે લગ્ન કરેલા છે અને બધા સાથે રહે છે. ચર્ચા મુજબ મરણ જનાર મહિલાને સગા સસરા સાથે આડા સંબંધ હતા.

આડા સંબંધની આડમાં સસરા પાસે બીજા પુત્રને મારી નાખવાની માંગણી કરતી હતી. મકાન મિલ્કતમાં ભાગ ના આપવો પડે બીજા પુત્રની મારી નાખવા સસરાને કહેતી હતી. મહિલાને અન્ય પણ કેટલાક વ્યક્તિઓ સાથે પણ આડા સંબંધ હોવાથી તે લાલચમાં કોઇની પાસે પુત્રની હત્યા કરાવી નાખશે એવી શંકાથી સગા સસરાએ જ પુત્રવધુનું ઢીમ ઢાળી દીધું હોવાની ચર્ચાઓથી ચકચાર ફેલાઈ જવા પામી હતી.

સાંજના સુમારે બેલાના પથ્થર અને ત્રિકમના ઘા મારી પુત્રવધુ પ્રભાબેન રમેશભાઈ સરીયા (ઉમર-૪૦) ની હત્યા કરી નાખી હતી. આરોપીની ધરપકડ કરવા અને ધોરણસરની ફરિયાદ નોંધવા અને હત્યા માટેના કારણો સહિત જરૂરી વિગતોની ઝીણવટભરી તપાસ પોલીસે હાથ ધરી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.