Western Times News

Gujarati News

ગહેલોતે નિમણૂક કરેલા સલાહકારોને કેબિનેટ પ્રધાન અથવા રાજ્ય પ્રધાનનો દરજ્જાે મળશે નહીં

જયપુર, સીએમના સલાહકારોની નિમણૂકની જાહેરાત બાદ રાજસ્થાનમાં રાજકારણ જાેરમાં છે.પરંતુ વિવાદને ડામવા માટે, મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે રવિવારે કહ્યું હતું કે તેમના સલાહકારો તરીકે નિમણૂક કરાયેલા ધારાસભ્યો અથવા જેમને સંસદીય સચિવ બનાવવામાં આવશે તેમને કોઈપણ કેબિનેટ પ્રધાન અથવા રાજ્ય પ્રધાનનો દરજ્જાે મળશે નહીં.

ગયા અઠવાડિયે રાજસ્થાન કેબિનેટના ફેરબદલના કલાકો પછી, અશોક ગેહલોતે કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો સહિત છ સલાહકારોની નિમણૂક કરી હતી. ભાજપે નિમણૂંકો સામે વાંધો ઉઠાવ્યો હતો અને રાજ્યપાલ કલરાજ મિશ્રાને એક મેમોરેન્ડમ સુપરત કર્યું હતું, જેમણે તેમની બંધારણીય સ્થિતિ અંગે સ્પષ્ટતા માંગી હતી.

મુખ્યપ્રધાન અશોક ગેહલોતે કહ્યું કે સંસદીય સચિવો અને સલાહકારોની નિમણૂક પહેલા પણ થતી રહી છે, પરંતુ હવે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ તેમને સુવિધાઓ અને દરજ્જાે આપી શકાય તેમ નથી, પરંતુ જાે તેઓને ન અપાય તો તેમાં ખોટું શું છે.

સીએમ ગેહલોતે કેન્દ્ર સરકાર પાસે પણ માગણી કરી હતી કે તેઓ ઇંધણના ભાવમાં વધારો કરવાને બદલે તેલ કંપનીઓને તેમની નાણાકીય જરૂરિયાતોને પહોંચી વળવા અનુદાન આપે, તેમણે ઉમેર્યું હતું કે તેલના ભાવ લોકો પર ભારે પડે છે. સાથે જ ગેહલોતે કહ્યું કે મોંઘવારીએ દેશભરમાં લોકોને ચોંકાવી દીધા છે અને તેના પર લગામ લગાવવાની જરૂર છે.

મીડિયા સાથે વાત કરતાં સીએમ અશોક ગેહલોતે કહ્યું કે તેઓ સંઘીય માળખાને સમજી શકતા નથી. કેન્દ્ર સરકાર રાજ્યોને આર્થિક રીતે નબળું પાડી રહી છે. જ્યારે રાજ્યો મજબૂત હશે તો દેશ મજબૂત થશે. રાજ્યોનું નાણાકીય સંચાલન ગડબડ છે. તેમણે કહ્યું કે આ બધું કેન્દ્રની ખોટી નીતિઓને કારણે થઈ રહ્યું છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.