Western Times News

Gujarati News

અમદાવાદઃ બે સાઢુ ચોર ઝડપાયા,૧૬ જેટલા મંદિરોમાં ચોરી કરી હતી

અમદાવાદ, લોકડાઉનમાં વેપારમાં મંદી આવતા બે સાઢુ ભાઈઓએ શોર્ટ કટથી રૂપિયા કમાવાનો કીમિયો શોધી કાઢયો. અને ચોરીના રવાડે ચઢયા. જાે કે ચોરી કરવા માટે હાઇ વે પર કે નજીકમાં આવેલા મંદિરને ટાર્ગેટ કરતા ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં બંને આરોપી ઓએ ૧૬ જેટલા મંદિરમાં ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. આરોપી ઓએ ગુજરાતના અનેક શહેરોમાં મંદિરોમાં ચોરી કરી હોવાનું તપાસ દરમિયાન જાણવા મળ્યું છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાંચ એ અતુલ સોની અને ભરત સોની નામના બે આરોપી ઓની ધરપકડ કરી છે. બંને આરોપી ઓની ધરપકડ મંદિર માંથી ચોરી કરવાના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે.

આરોપીના ગુના અંગે પુછપરછ કરતા સામે આવ્યુ કે આરોપી એ અમરેલી, ગારીયાધાર. માણસા. વિરમગામ, મહેમદાબાદ, સાણંદ, ધોળકા જેવા વિસ્તારમાં ચોરીને અંજામ આપ્યો હતો. અતુલ સોની અને ભરત સોની બન્ને સોનાના દાગીના બનાવવાનુ કામ કરતા હતા.

પરંતુ કોરોના બાદ ધંધામાં મદી આવતા જમીન દલાલીનુ કામ ચાલુ કર્યુ હતુ. જાેકે તેમાં પણ મંદી આવતા માથે દેવુ થઈ ગયું હતું. પરંતુ તે દેવામાંથી બહાર આવવા માટે મંદિર ચોરીને અંજામ આપવા લાગ્યા હોવાનુ સામે આવ્યુ છે.

જેથી પોલીસે આરોપી ચોરીનો મુદ્દામાલ કોને વેચતો હતો તે અંગે તપાસ હાથ ધરી છે. આરોપી ઓ મંદિર માંથી છત્ર, હાર, બુટ્ટી, સેર જેવા સોનાના દાગીના ની જ ચોરી કરતા હતા.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.