Western Times News

Gujarati News

ટીમ ઇન્ડિયા ઓમિક્રોન વેરિઅન્ટનાં કહેર વચ્ચે દ.આફ્રિકાનો પ્રવાસ કરશે: સૌરવ ગાંગુલી

મુંબઇ, દક્ષિણ આફ્રિકાથી કોરોનાનો નવા વેરિઅન્ટ સામે આવ્યા બાદથી સમગ્ર દુનિયામાં ફફડાટ જાેવા મળી રહ્યો છે. આ વચ્ચે હવે ટીમ ઈન્ડિયાનાં દક્ષિણ આફ્રિકા પ્રવાસને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે.

સમગ્ર વિશ્વમાં એકવાર ફરી કોરોનાનાં નવા વેરિઅન્ટ એ ચિંતાનું મોજું ફેરવ્યુ છે. આ વચ્ચે ભારતીય ક્રિકેટ બોર્ડનાં અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ મંગળવારે કહ્યું કે, દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ પૂર્વ નિર્ધારિત સમયપત્રક મુજબ યોજાશે અને તેઓ કોવિડ-૧૯નાં નવા વેરિઅન્ટનાં ઉદભવથી સંબંધિત પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે. ઓમિક્રોન નામનાં કોવિડ-૧૯નાં નવા સ્વરૂપનાં ફેલાવાને લઈને ચિંતા વધી રહી છે. તેનો પ્રથમ કેસ દક્ષિણ આફ્રિકામાં નોંધાયો હતો.

ગાંગુલીએ અહીં એક પ્રમોશનલ ઈવેન્ટમાં કહ્યું, “આ પ્રવાસ અત્યારે જ થશે. અમારી પાસે હજુ પણ ર્નિણય લેવાનો સમય છે. પ્રથમ ટેસ્ટ ૧૭ ડિસેમ્બરથી રમાશે. અમે તેના પર નજર રાખીશું.”

ભારત ૩ ડિસેમ્બરથી મુંબઈમાં ન્યૂઝીલેન્ડ સામે બીજી અને અંતિમ ટેસ્ટ રમશે, ત્યારબાદ ટીમ ત્યાંથી ચાર્ટર્ડ ફ્લાઇટમાં ૮ અથવા ૯ ડિસેમ્બરે જાેહાનિસબર્ગ જવા રવાના થશે. ગાંગુલીએ કહ્યું, “ખેલાડીઓનું સ્વાસ્થ્ય અને સુરક્ષા હંમેશા બીસીસીઆઇની પ્રથમ પ્રાથમિકતા રહી છે. આવનારા દિવસોમાં શું થાય છે તે જાેઈશું.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.