Western Times News

Gujarati News

રાજ્યમાં કોરોના વાયરસના ૪૫ નવા કેસ સામે આવ્યા

ગાંધીનગર, ગુજરાતમાં કોરોનાનો કહેર વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યમાં આજે કોરોનાના ૪૫ નવા કેસ સામે આવ્યા હતા. તો બીજી તરફ ૪૫ દર્દીઓ સાજા પણ થયા હતા.

અત્યાર સુધીમાં કુલ ૮,૧૭,૨૦૩ નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ ૯૮.૭૪ ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રાજ્ય સરકાર રસીકરણના મોરચે પણ મજબુતીથી લડી રહી છે. આજે કુલ ૩,૯૦,૧૫૪ રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ કુલ ૩૧૮ એક્ટિવ કેસ છે. જે પૈકી ૦૮ નાગરિકો વેન્ટિલેટર પર છે. ૩૧૦ નાગરિકો સ્ટેબલ છે. ૮,૧૭,૨૦૩ નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે.

અત્યાર સુધીમાં કુલ ૧૦૦૯૪ નાગરિકોનાં મોત થઇ ચુક્યાં છે. જાે કે રાહતના સમાચાર કહી શકાય કે આજે એક પણ નાગરિકનું મોત નથી થયું. આ ઉપરાંત અમદાવાદ કોર્પોરેશનમાં ૧૫ કેસ, સુરત કોર્પોરેશનમાં ૬ કેસ, વડોદરા કોર્પોરેશનમાં ૫ કેસ, આણંદ-વડોદરામાં ૩-૩ કેસ, નવસારી, રાજકોટ કોર્પોરેશન, વલસાડમાં ૨-૨ કેસ સામે આવી ચુક્યાં છે.

ભાવનગર કોર્પોરેશન, ગાંધીનગર કોર્પોરેશન, જામનગર કોર્પોરેશન, ખેડા, મહેસાણા, પોરબંદર અને સુરતમાંથી ૧-૧ કેસ સામે આવ્યા છે. આ પ્રકારે કુલ ૪૫ કેસ સામે આવ્યા છે. રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી ૧૭ને પ્રથમ અને ૧૪૭૯ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે.

૪૫ વર્ષથી વધારેની ઉંમરના ૯૫૯૭ નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે ૯૩૮૬૦ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે. ૧૮-૪૫ વર્ષના નાગરિકો પૈકી ૩૧૫૬૭ નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે ૨૫૩૬૩૪ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે. આ પ્રકારે કુલ ૩,૯૦,૧૫૪ નાગરિકોનું આઝના દિવસમાં રસીકરણ થઇ ચુક્યું છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.