Western Times News

Gujarati News

હેલિકોપ્ટર ક્રેશની તપાસ એર માર્શલ માનવેન્દ્રસિંહ કરશે

નવી દિલ્હી, તામિલનાડુમાં થયેલા હેલિકોપ્ટર ક્રેશની દુર્ઘટનાની તપાસ એર માર્શલ માનવેન્દ્રસિંહની અધ્યક્ષતામાં કરવામાં આવશે અને આ તપાસમાં સેનાની ત્રણે પાંખના અધિકારીઓ પણ સામેલ હશે.

એર માર્શલ માનવેન્દ્રસિંહ હાલમાં એરફોર્સના ટ્રેનિંગ કમાન્ડના ચીફ છે.સાથે સાથે તેઓ પોતે પણ હેલિકોપ્ટર પાયલોટ છે. સંસદમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આ અંગેની જાણકારી આપી હતી.

તેમણે કહ્યુ હતુ કે, એમઆઈ-૧૭ હેલિકોપ્ટરો ગઈકાલે સવારે ૧૧-૪૮ કલાકે સુલુર એરબેઝ પરથી ઉડાન ભરી હતી અને તે ૧૨-૧૫ વાગ્યે આર્મીની વેલિંગ્ટન કોલેજ ખાતે ઉતરવાનુ હતુ પણ સુલુર એરબેઝના ટ્રાફિક કંટ્રોલ સાથે તેનો ૧૨-૦૮ વાગ્યે સંપર્ક તુટી ગયો હતો.

એ પછી સ્થાનિક લોકોએ આગના ભડકા જંગલોમાં જાેયા હતા અને ત્યાં દોડી ગયા હતા. ઉલ્લેખનીય છે કે, આ અકસ્માતમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, તેમના પત્ની સહિત ૧૩ લોકોના નિધન થયા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.