Western Times News

Gujarati News

કાશ્મીરીઓને આર્ત્મનિણયના અધિકારને OICનું સમર્થન

ઈસ્લામાબાદ, ઈસ્લામિક દેશોના સંગઠન ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કંટ્રી(ઓઆઈસી)એ ફરી કાશ્મીર રાગ છેડયો છે. પાકિસ્તાની પીએમ ઈમરાન ખાને ઓઆઈસીના મહાસચિવ હિસેન ઈબ્રાહિમ તાહા સાથેની બેઠકમાં કાશ્મીરના મુદ્દા પર ચર્ચા કરી હતી.આ દરમિયાન બંનેએ કાશ્મીરના લોકોના આર્ત્મનિણયના અધિકારની અને તેમના સંઘર્ષને સમર્થન આપવાની જાહેરાત કરી હતી.

ઓઆઈસીની ૧૭મી બેઠક પાકિસ્તાનમાં યોજાઈ હતી.પાકિસ્તાન અને સાઉદી અરબ દ્વારા આયોજીત આ બેઠકમાં કુલ ૫૭ દેશોમાંથી ૨૦ દેશોના વિદેશ મંત્રીઓએ ભાગ લીધો હતો.

એ પછી ઓઆઈસીના નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે, જમ્મુ કાશ્મીરના ઘટનાક્રમ તેમજ કાશ્મીરી લોકો દ્વારા તેમના અધિકાર માટે થઈ રહેલા સંઘર્ષમાં સમર્થન આપવા માટે ચર્ચા થઈ છે.સાથે આત્મ ર્નિણયના અધિકાર પર પણ વાત થઈ છે.આ બંને મુદ્દા ઓઆઈસીની તમામ બેઠકોના તમામ પ્રસ્તાવમાં સમાવાયેલા છે તેમજ યુએન અને ઈન્ટરનેશનલ સિક્યુરિટી કાઉન્સિલના પ્રસ્તાવોમાં પણ આ વાત સામેલ છે.

ઓઆઈસીની બેઠકમાં કાશ્મીર મુદ્દો અવાર નવાર ઉછાળવામાં આવતો હોય છે.ગયા મહિને ઓઆઈસીના વિશેષ દૂત પાકિસ્તાન ગયા હતા ત્યારે પણ તેમણે આ મુદ્દો ઉઠાવ્યો હતો અને કહ્યુ હતુ કે, હવે પછીની બેઠકમાં કાશ્મીરની સ્થિતિ પર એક રિપોર્ટ રજૂ કરવામાં આવશે.

જાેકે ભારતે ઓઆઈસીને અવાર નવાર ચેતવણી આપી છે કે, કાશ્મીર મુદ્દો ભારતનો આંતરિક મામલો છે અને તેનાથી દુર રહો.અમે હંમેશા ઓઆઈસી પાસે અપેક્ષા રાખીએ છે કે, ભારતના આંતરિક મામલા પર તે કોઈ સ્ટેન્ડ ના લે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.