Western Times News

Gujarati News

કેન્દ્ર ઓમીક્રોનના ખતરા વચ્ચે ૧૦ રાજ્યોમાં પોતાની સ્પેશિયલ ટીમ મોકલશે

નવીદિલ્હી, દેશમાં ઓમિક્રોન વેરિએન્ટના કેસ સતત વધી રહ્યાં છે. આ વચ્ચે કેન્દ્ર સરકાર ૧૦ રાજ્યોમાં પોતાની સ્પેશિયલ ટીમ મોકલશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે તેની જાણકારી આપતા કહ્યું- ૧૦ ચિન્હિત રાજ્યોમાં કેન્દ્રીય ટીમોને તૈનાત કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે, જેમાંથી કેટલાક રાજ્યોમાં ઓમિક્રોનના કેસ સતત વધી રહ્યાં છે. તો કેટલાક રાજ્યોમાં રસીકરણની ગતિ ધીમી છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રાલય પ્રમાણે કેરલ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, મિઝોરમ, કર્ણાટક, બિહાર, ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને પંજાબમાં મલ્ટી-ડિસિપ્લિનરી કેન્દ્રીય ટીમોને તૈનાત કરવામાં આવશે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૭૧૮૯ કેસ સામે આવ્યા છે. આ સિવાય અત્યાર સુધી ૬૭.૧૦ કરોડ કોરોના ટેસ્ટ કરવામાં આવી ચુક્યા છે. કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનની વાત કરીએ તો ભારતમાં ઓમિક્રોનના કુલ ૪૧૫ કેસ થઈ ગયા છે. ઓમિક્રોનના સૌથી વધુ કેસ ૧૦૮ મહારાષ્ટ્રમાં છે. રાજ્યવાર અત્યાર સુધી ઓમિક્રોનના કેટલા કેસ સામે આવ્યા છે.

દેશની ૮૯ ટકા વયસ્ક વસ્તીને કોરોના રસીનો પ્રથમ ડોઝ અને ૬૧ ટકા વસ્તીને બંને ડોઝ લાગી ગયા છે. પરંતુ ૧૧ રાજ્યોમાં રસીકરણની ગતિ રાષ્ટ્રીય એવરેજથી ઓછી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે શુક્રવારે પત્રકાર પરિષદમાં આ રાજ્યોની વિગતો આપી હતી.

તેમણે કહ્યું કે, રાજ્યોની સાથે બેઠક થઈ છે તથા તેમને રસીકરણમાં ગતિ લાવવાનું કહેવામાં આવ્યું છે. મહત્વનું છે કે અત્યાર સુધી દેશમાં ૧૪૦ કરોડથી વધુ રસીના ડોઝ લાગી ચુક્યા છે. તેમાંથી ૮૩.૨૯ કરોડ પ્રથમ ડોઝના રૂપમાં તથા ૫૭ કરોડ રસી બીજા ડોઝ તરીકે આપવામાં આવી છે. આ રાજ્યોમાં ઓડિશા, મહારાષ્ટ્ર, તમિલનાડુ, બિહાર, પુડુચેરી, ઉત્તર પ્રદેશ, મેઘાલય, ઝારખંડ, મણિપુર, પંજાબ તથા નાગાલેન્ડ સામેલ છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.