Western Times News

Gujarati News

અભિનેત્રી નોરા ફતેહી કોરોના વાયરસથી સંક્રમિત

મુંબઈ, દેશમાં કોરોનાના કેસ વધતાં ફરી એકવાર બોલિવુડ સેલિબ્રિટીઝ કોરોના સંક્રમિત થયાના કિસ્સા પણ સામે આવી રહ્યા છે. બુધવારે જ અહેવાલ હતા કે અર્જુન કપૂર તેની બહેન અંશુલા અને અનિલ કપૂરની દીકરી રિયા તેમજ જમાઈ કરણ બુલાની કોરોના સંક્રમિત થયા છે.

હવે વધુ બોલિવુડ સેલિબ્રિટી કોરોનાનો શિકાર બની છે. આ સેલિબ્રિટી છે એક્ટ્રેસ અને ડાન્સર નોરા ફતેહી. નોરાએ સોશિયલ મીડિયા પર કોરોના સંક્રમિત થયા હોવાની જાણકારી આપી છે.

નોરાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં કોરોના પોઝિટિવ હોવાની જાણકારી આપતાં લખ્યું, કમનસીબે હું કોરોના સામે લડી રહી છું. કોરોનાએ મારા પર ખરાબ અસર કરી છે. છેલ્લા થોડા દિવસથી હું પથારીવશ અને ડૉક્ટરની દેખરેખ હેઠળ છું. પ્લીઝ સૌ સુરક્ષિત રહેજાે અને માસ્ક પહેરજાે. કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે અને દરેક પર અલગ પ્રકારે અસર કરે છે. કમનસીબે મારા ખૂબ ખરાબ અસર થઈ છે અને આ કોઈને પણ થઈ શકે છે માટે ધ્યાન રાખજાે.

હાલ તો હું મારી રિકવરી પર ધ્યાન આપી રહી છું અને તેનાથી વિશેષ કશું જ મહત્વ ધરાવતું નથી. તમારા સ્વાસ્થ્યથી વધુ મહત્વનું કશું નથી. ધ્યાન રાખો, સુરક્ષિત રહો. નોરાના પ્રવક્તા તરફથી પણ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું છે. જેમાં જણાવાયું છે કે, “નોરા ફતેહી ૨૮ ડિસેમ્બરે કોરોના સંક્રમિત થઈ છે. પ્રોટોકોલનું પાલન કરતાં તે ડૉક્ટરની દેખરેખ હેઠળ ક્વોરન્ટીન થઈ છે અને સેફ્ટી અને નિયમોના પાલન માટે તે બીએમસીને સહયોગ આપી રહી છે.

નોરાની ટીમે એમ પણ સ્પષ્ટ કર્યું છે કે, એક્ટ્રેસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો ત્યારથી તે બહાર નથી નીકળી અને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તેની તસવીરો અને વિડીયો જૂના છે. “ગઈકાલથી નોરાની જે તસવીરો વાયરલ થઈ છે તે અગાઉની એક ઈવેન્ટની છે. નોરા હાલમાં ક્યાંય બહાર નથી ગઈ. અમે વિનંતી કરીએ છીએ કે તે જૂની તસવીરોને અવગણશો, તેમ નિવેદનમાં ઉલ્લેખ છે.

જણાવી દઈએ કે, નોરા, અર્જુન-અંશુલા, રિયા-કરણ પહેલા કરીના કપૂર, મહીપ કપૂર, અમૃતા અરોરા, સીમા ખાન, શનાયા કપૂરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જાેકે, હાલ કરીના-અમૃતા, મહીર-શનાયા અને સીમા ખાન કોરોનાથી સાજા થઈ ગયા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.