Western Times News

Gujarati News

રાજ્યમાં ઓમિક્રોનના 16 સહિત કોરોનાના 654 કેસ

ગાંધીનગર, રાજ્યમાં વધુ એક લહેરના મંડાણ થયા હોય તેમ છેલ્લા કેટલાક દિવસોથી ઉત્તરોત્તર કેસમાં વધારો થઈ રહ્યો છે. સાડા છ મહિના બાદ પહેલીવાર 600થી વધારે કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 654 નવા કેસ નોંધાયા છે.

રાજ્યમાં ઓમિક્રોનના 16 નવા કેસ સામે આવ્યા છે. આજે આજે અમદાવાદ શહેર અને જિલ્લામાં રાજ્યના સૌથી વધુ 317 નવા કેસ નોંધાયા છે.ત્યારે આજે 31મી ડિસેમ્બરે વર્ષના છેલ્લાં દિવસે એક પણ દર્દીનું મોત થયું નથી. ચાર દિવસમાં બાદ રાજ્યમાં શૂન્ય મોત રહ્યું છે.

છેલ્લે 26 ડિસેમ્બરે એક પણ મોત નોંધાયું ન હતું. 12 જિલ્લામાં કોરોનાનો એકપણ નવો કેસ નોંધાયો નથી. રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ 98.43 ટકા થયો છે. અગાઉ 205 દિવસ એટલે કે 9 જૂને 644 કેસ હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.