Western Times News

Gujarati News

એટીએમમાં પાંચથી વધુ વાર પૈસા ઊપાડવા માટે ચાર્જ થશે

Files Photo

મુંબઈ, આજથી શરુ થઈ રહેલા ૨૦૨૨ના નવા વર્ષમાં તમારે તમારી એટીએમમાંથી ગમે ત્યારે પૈસા ઉપાડવાની આદત બદલવી પડશે. આજથી બેંકોએ એક નવો નિયમ અમલી બનાવી દીધો છે. જેમાં અમુક નિશ્ચિત મર્યાદામાં અપાતા ફ્રી ટ્રાન્ઝેક્શન પૂરા થયા બાદ જાે તમે એટીએમમાંથી પૈસા ઉપાડશો તો તેના માટે તમારે વધારે ચાર્જ આપવો પડશે. રિઝર્વ બેંકે જુન ૨૦૨૧માં આપેલા નિર્દેશ અનુસાર, કસ્ટમર્સને ફ્રી લિમિટ બાદ એટીએમ ટ્રાન્ઝેક્શન બાદ ૨૧ રુપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન ફી ચૂકવવી પડશે. હાલ બેંકો તેના માટે ૨૦ રુપિયા ચાર્જ વસૂલે છે.

નવા વર્ષમાં પણ બેંકો મહિનામાં પાંચ ફ્રી ટ્રાન્ઝેક્શન આપશે, પરંતુ છઠ્ઠા ટ્રાન્ઝેક્શનથી ચાર્જ ચૂકવવો પડશે. મહત્વની વાત એ છે કે, આ પાંચ ફ્રી ટ્રાન્ઝેક્શન અને એક મહિનામાં ત્યારબાદ થનારા ટ્રાન્ઝેક્શનમાં એટીએમનો તમામ પ્રકારનો વપરાશ સમાવિષ્ટ છે. મતલબ કે તમે પૈસા ઉપાડો, બેલેન્સ ચેક કરો કે પછી એટીએમ પર બીજું કોઈપણ ટ્રાન્ઝેક્શન કરો તો તેની પણ ગણતરી કરવામાં આવશે.

હાલ કોઈ એક બેંકનો કસ્ટમર બીજી બેંકના એટીએમમાંથી પણ ટ્રાન્ઝેક્શન કરી શકે છે. જેની મર્યાદા મેટ્રો સિટીમાં ત્રણ જ્યારે નોન-મેટ્રોમાં પાંચ ટ્રાન્ઝેક્શન પ્રતિ માસ છે. અગાઉ આરબીઆઈ બેંકોને ઈન્ટરચેન્જ ફી પ્રતિ ટ્રાન્ઝેક્શન દીઠ ૧૫ રુપિયાથી વધારીને ૧૭ રુપિયા અને નોન-ફાઈનાન્શિયલ ટ્રાન્ઝેક્શન માટે ૫ રુપિયાથી વધારીને ૬ રુપિયા કરવાની મંજૂરી આપી ચૂકી છે.

બેંકોનો દાવો છે કે, એટીએમ મેઈન્ટેઈન કરવાનો ખર્ચ વધી રહ્યો હોવાથી તેને સરભર કરવા માટે ટ્રાન્ઝેક્શન ફીમાં વધારો કરવો જરુરી છે. ૩૧ માર્ચ ૨૦૨૧ની સ્થિતિ અનુસાર, દેશમાં ૧,૧૫,૬૦૫ ઓનસાઈટ જ્યારે ૯૭,૯૭૦ ઓફ-સાઈટ એટીએમ મશીન હતા.

જ્યારે આ જ ગાળામાં દેશમાં વિવિધ બેંકો દ્વારા ઈશ્યૂ કરવામાં આવેલા ડેબિટ કાર્ડની સંખ્યા ૯૦ કરોડ નોંધાઈ હતી. દેશમાં સૌ પહેલું એટીએમ એચએસબીસી દ્વારા મુંબઈમાં ૧૯૮૭માં શરુ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ૧૨ વર્ષમાં આ સંખ્યા માંડ ૧૫૦૦ સુધી પહોંચી હતી. ૧૯૯૭માં ઈન્ડિયન બેંક એસોસિએશન દ્વારા એકબીજાના એટીએમનો ઉપયોગ કરવા દેવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.