Western Times News

Gujarati News

નૈનિતાલની સ્કૂલમાં ૮૫ બાળકો કોરોના પોઝિટિવ તંત્ર દોડતું થયું

file

નવીદિલ્હી, ઉત્તરાખંડના નૈનિતાલ જિલ્લામાં જવાહર નવોદય વિદ્યાલયમાં ૮૫ બાળકો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. બાળકોને ગંગરકોટ વિસ્તારમાં સ્થિત સ્કૂલમાં જ ક્વોરન્ટાઇનમાં કરવામાં આવ્યા છે. નૈનિતાલના ડેપ્યુટી કલેક્ટર રાહુલ શાહે કહ્યું કે જે બાળકો RT-PCR ટેસ્ટમાં નેગેટિવ આવશે તેમને જ ઘરે મોકલવામાં આવશે. Eighty-five students of Jawahar Navodaya Vidyalaya at Gangarkot in Nainital, #Uttarakhand test positive for #COVID19; school declared micro containment zone: Officials

ઓમિક્રોનના ખતરા વચ્ચે દિલ્હીમાં કોરોનાના કેસોમાં ૫૦%નો મોટો વધારો નોંધાયો છે. શનિવારે રાજધાનીમાં ૨૭૧૬ લોકો સંક્રમિત મળ્યા હતા અને એકનું મોત થયું હતું. જ્યારે, કોવિડ પોઝિટિવીટી દર ૩.૬૪% નોંધાયો હતો. શનિવારનો વધારો ૨૧ મે પછીનો સૌથી વધુ છે.

આ દિવસે, ૪.૭૬%ના પોઝિટિવીટી દર સાથે ૩,૦૦૯ કેસ નોંધાયા હતા અને ૨૫૨ મૃત્યુ થયા હતા. હરિયાણામાં ૫ જિલ્લાઓમાં શાળા-કોલેજાે, થિયેટરો બંધ કરવા આદેશ આપવામાં આવ્યો છે. દેશમાં ઓમિક્રોનના કુલ કેસની સંખ્યા વધીને ૧૫૯૬ થઈ છે. દેશમાં હવે કોરોનાના ૧ લાખ ૪ હજાર ૭૮૧ એક્ટિવ દર્દીઓ થયા છે. ૭ જૂન ૨૦૨૧ પછી પહેલીવાર એક લાખ એક્ટિવ કેસ સામે આવ્યા છે.

બેકાબૂ કોરોનાની વાત કરીએ તો શનિવારે મુંબઈમાં ૬,૩૪૭, દિલ્હીમાં ૨,૭૧૬, કોલકાતામાં ૨,૩૯૮ કોરોનાના નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, કોરોનાના ઓમિક્રોન પણ તબાહી મચાવી રહ્યો છે. દેશભરમાં ઓમિક્રોન દર્દીઓનો આંકડો ૧૫૫૦ને પાર કરી ગયો છે.

મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૪૬૦ દર્દીઓ છે.શુક્રવારે, ૧,૭૯૬ કેસ અને ૧.૭૩% પોઝિટિવીટી દર નોંધવામાં આવ્યો હતો. જ્યારે ગુરુવારે, ૨.૪૪% ના પોઝિટિવીટી દર સાથે ૧,૩૧૩ કેસ નોંધાયા હતા. તેલંગાણા સરકારે તમામ પ્રકારની રેલીઓ, જાહેર મેળાવડા અને સામૂહિક મેળાવડા પર પ્રતિબંધ મૂક્યો છે. જાહેર સ્થળોએ માસ્ક ન પહેરવા બદલ રૂ. ૧૦૦૦ના દંડનો કડક અમલ કરવાની પણ સૂચનાઓ આપવામાં આવી છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.