Western Times News

Gujarati News

કોરોના, ઓમિક્રોન મેલેરિયા,સહિતના રોગોના ઉપાય માટે તબીબો માર્ગદર્શન આપશે

File Photo

ગાંધીનગર, આરોગ્યના વિવિધ મુદાઓ ઉપર નિષ્ણાંત તબીબોની હાજરીમાં રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા દર બુધવારે DD ગિરનાર પર સાંજે ૦૭-૩૦ થી ૦૮-૦૦ કલાકે ફોન ઇન લાઇવ- ‘‘હેલ્લો ડૉક્ટર’’ કાર્યક્રમ યોજવામાં આવે છે.

‘‘હેલ્લો ડૉક્ટર’’ કાર્યક્રમમાં કોરોના, ઓમિક્રોન, ટી.બી., મેલેરિયા ઉપરાંત નોન કોમ્યુનિકેબલ રોગો એટલે કે હાયપર ટેન્શન, ડાયાબિટીસ વગેરે રોગોના લક્ષણો-ઉપાયો અને તેની સમયસર સારવાર માટે નિષ્ણાત તબીબો દ્વારા ચર્ચા કરી અને તેના ઉપાયો જણાવવામાં આવે છે.

આ કાર્યક્રમમાં નાગરિકોએ ૦૭૯-૨૬૮૫૩૮૧૪, ૨૬૮૫૩૮૧૬ નંબર ઉપર ફોન કરીને પ્રશ્નો પૂછીને માર્ગદર્શન મેળવી શકશે જેનો મહત્તમ લાભ લેવા આરોગ્ય તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ વિભાગ ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.