Western Times News

Gujarati News

અંકલેશ્વરમાં આડાસંબંધના વહેમે પત્નીની હત્યા કરનારો પતિ ઝડપાયો

(પ્રતિનિધિ) ભરૂચ, અંકલેશ્વરના સારંગપુરમાં આડાસંબંધના વહેમે પત્નીની હત્યા કરનારો હત્યારો પતિને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી તેનો કોરોના ટેસ્ટ કરાવતા રીપોર્ટ પોઝિટિવ આવતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.

અંકલેશ્વરના સારંગપુર પાસે આવેલ આદર્શ નગરમાં રહેતા સદ્દામ હુસેન ચૌધરીએ પોતાની ૨૫ વર્ષીય પત્ની મોબસેરા ખાતુનના મોઢા તેમજ ગળાના ભાગે મૂઢ માર માર્યો હતો.પતિની અસહ્ય ક્રૂરતાથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત મોબસેરા ખાતુંન ની મોત નીપજ્યું હતું.

આ બનાવ અંગેની જાણ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસને થતા હત્યારા પતિ સદ્દામ હુસૈન ચૌધરી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરાયા હતા.જીઆઈડીસી પોલીસે ગણતરીના કલાકોમાં ફરાર આરોપી પતિ સદ્દામ હુસૈન ચૌધરીની ધરપકડ કરી વધુ તપાસ હાથધરી છે.તેમજ હત્યા કયા કારણોસર કરી અને હત્યા ને કઈ રીતે અંજામ આપ્યો તે અંગે પણ પોલીસે આરોપીને સ્થળ પર લઈ જઈને પૂછપરછ કરી હતી.

ઉલ્લેખનીય છે કે આરોપીને પૂછપરછ બાદ કોરોના ટેસ્ટ માટે મોકલવામાં આવ્યો હતો જ્યાં તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ગુન્હા અંગે ની તપાસ કરતા પોલીસ બેડામાં પણ ચિંતા મોજું ફરી વળ્યું હતું.હાલ તો આરોપી નો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.