Western Times News

Gujarati News

આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ કોરોના સંક્રમિત

હૈદરાબાદ, આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને વિપક્ષના નેતા એન ચંદ્રબાબુ નાયડુ પણ કોરોના સંક્રમિત થયા છે. તેમણે પોતે ટ્‌વીટ કરીને આ અંગેની માહિતી આપી છે. તેણે લખ્યું કે હું હળવા લક્ષણોથી કોરોના સંક્રમિત થઈ ગયો છું. મેં મારી જાતને ઘરે ક્વોરેન્ટાઇન કરી છે અને જરૂરી તમામ સાવચેતી રાખી રહ્યો છું. જેઓ મારા સંપર્કમાં આવ્યા છે તેઓને હું વહેલી તકે પોતાનું પરીક્ષણ કરાવવા વિનંતી કરીશ. કૃપા કરીને સુરક્ષિત રહો અને તમારી સંભાળ રાખો.

ઉલ્લેખનીય છે કે દેશમાં છેલ્લા ત્રણ દિવસથી કોરોના સંક્રમણની ગતિ ઘટી છે. રાજધાની દિલ્હીમાં મહત્તમ રાહતના સમાચાર છે, જ્યાં છેલ્લા ચાર દિવસમાં ચેપ દર ૫૦ ટકા સુધી નીચે આવ્યો છે. દિલ્હીમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૨૫૨૭ સંક્રમિત દર્દીઓ નોંધાયા છે. વિશ્વમાં કોરોનાની સ્થિતિ વધુ ભયાવહ બનતી જાય છે. ભારતમાં કોરોનાની રફતાર ખુબ તેજીથી વધી રહી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.