આશીષ મિશ્રાના જામીન રદ્દ કરવા સુપ્રીમમાં અરજી દાખલ

નવીદિલ્હી, લખીમપુર ખેરી કેસમાં ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર આશિષ મિશ્રાના જામીન રદ કરવા માટે એક વકીલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. તમને જણાવી દઈએ કે, મુખ્ય આરોપી અને કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા ટેનીનો પુત્ર આશિષ મિશ્રા ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરી જિલ્લામાં ખેડૂતોને વાહન વડે કચડી નાખવાના કેસમાં લગભગ ચાર મહિનાથી જેલમાં હતો. તાજેતરમાં જ તેને કોર્ટે જામીન આપ્યા હતા.
સુપ્રીમ કોર્ટમાં આશિષ મિશ્રાના જામીન રદ કરવા અને અલ્હાબાદ હાઈકોર્ટના જામીન આપવાના ર્નિણય પર સ્ટે મૂકવાની માંગ કરવામાં આવી છે. પિટિશનર એડવોકેટ શિવ કુમાર ત્રિપાઠી અને સીએસ પાંડાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરતાં કહ્યું છે કે આરોપીઓ મુક્તપણે ફરતા હોવાના પુરાવા સાથે છેડછાડની શક્યતા છે. સાક્ષીઓ, ખેડૂતો અને પીડિત પરિવારો જાેખમમાં છે.
અલ્હાબાદ હાઈકોર્ટનો આદેશ અનુમાન પર આધારિત છે. તેમણે કહ્યું કે એસઆઇટીને તાત્કાલિક સુપ્રીમ કોર્ટમાં સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવા માટે કહેવામાં આવે. યુપી સરકાર અને કેન્દ્ર સરકારને તાત્કાલિક અસરગ્રસ્તોને વળતર આપવાનો નિર્દેશ આપવો જાેઈએ.
તમને જણાવી દઈએ કે લખીમપુર ખેરી હિંસા કેસના મુખ્ય આરોપી કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીનો પુત્ર આશિષ મિશ્રા જામીન પર છૂટ્યા બાદ જેલમાંથી બહાર આવ્યો છે. આશિષ મિશ્રાને ૫ દિવસ પહેલા અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચમાંથી જામીન મળ્યા હતા. આ કેસમાં ઉત્તર પ્રદેશની એસઆઇટીએ ૫૦૦૦ પેજની ચાર્જશીટ દાખલ કરી હતી.HS