Western Times News

Gujarati News

શું પાર્વતી ધરતીલોકથી મહાદેવને ફરીથી કૈલાશ પર લાવશે?

કિરદારોનો ડબલ ટ્રબલ! &TVના શો બાલ શિવ, ઔર ભાઈ ક્યા ચલ રહા હૈ?, હપ્પુ કી ઉલટન પલટન અને ભાભીજી ઘર પર હૈમાં આ સપ્તાહમાં તેમનાં પાત્રો ડબલ ટ્રબલમાં જોવા મળશે.

એન્ડટીવી પર બાલ શિવમાં મહા શિવરાત્રિની વાર્તા વિશે મહાસતી અનુસુયા (મૌલી ગાંગુલી) કહે છે, “અજમુખી (સૃષ્ટિ મહેશ્વરી) બાલ શિવ (આન તિવારી)ને છટકામાં સપડાવે છે.

જોકે ત્રિશૂળ અને સાપની મદદથી તે દરેકનો છુટકારો કરે છે. અનુસુયા ચિંતિત છે અને સર્વત્ર શોધે છે. આખરે માર્ગની વચ્ચે તે મળે છે, જ્યાં બાલ શિવ તેને ખાતરી આપે છે કે તે તેને ક્યારેય છોડીને જશે અને અથવા ક્યાંય નહીં જશે. દરમિયાન ભૃંગી અને ગણપ્રીત જંગલમાં ભેગા થાય છે

અને બાલ શિવની ભસ્મપૂજા કરીને મહાશિવરાત્રિ પર કૈલાશ ખાતે તેમની સાથે જોડાવા વિનંતી કરે છે. જોકે બાલ શિવ તેની માતાની સંમતિ વિના આવી નહીં શકે એવું કહીને ઈનકાર કરે છે. તેઓ પાર્વતીનાઘરે જાય છે અને તેમના અને મહાદેવ વિના કૈલાશ કેવો ખાલી છે તે વિશે માહિતગાર કરે છે અને આ મહાશિવરાત્રિ પર તેઓ કૈલાશ પર ફરીથી મહાદેવને લાવે એવી વિનંતી કરેછે. શું પાર્વતી ધરતીલોકથી મહાદેવને ફરીથી કૈલાશ પર લાવશે?”

એન્ડટીવી પર ઔર ભાઈ ક્યા ચલ રહા હૈ?ની શાંતિ મિશ્રા (ફરહાના ફાતેમા) કહે છે, “બિટ્ટુ (અન્નુ અવસ્થી) અને પપ્પુ (સંદીપ યાદવ) મિશ્રા અને મિરઝા સહિત તેમના શહેરના દરેકને પોતાનાં ક્રેડિટ કાર્ડસ બતાવીને રુઆબ છાંટે છે, જે પછી મિશ્રા અને મિરઝા પણ તેમે માટે કાર્ડ મેળવવા પ્રયાસ કરે છે,

પરંતુ તેમની અરજી નકારાઈ જાય છે. જોકે શાંતિ (ફરહાના ફાતેમા) અને સકિના (આકાંક્ષા શર્મા) બિટ્ટુની મદદથી તેમનાં કાર્ડસ મેળવે છે, જેને કારણે મિશ્રા અને મિરઝાને ઈર્ષા થાય છે, પરંતુ બિટ્ટુ અને ટોળકીની સામે તેમની પત્નીઓ માટે ખુશ છે એવો દેખાડોકરે છે. શાંતિ અને સકિના ભરપૂર શોપિંગ કરે છે,

જેને લીધે બિલની રકમ વધતી જ જાય છે. શાંતિ અને સકિનાને એક કૌભાંડી પાસેથી ઓટીપી શેર કરવા માટે કોલ આવે છે ત્યારે અસલી વળાંક આવે છે. શું તેઓ મુશ્કેલીમાં આવશે કે મિશ્રા અને મિરઝા આ છેતરપિંડીથી તેમને બચાવી લેશે? ”

એન્ડટીવી પર હપ્પુ કી ઉલટન પલટનની રાજેશ (કામના પાઠક) કહે છે, “હપ્પુ (યોગેશ ત્રિપાઠી) અને રાજેશ (કામના પાઠક) રોમાન્સનાં મૂડમાં છે. જોકે પરિવારના કોઈક ને કોઈક તેમને ડિસ્ટર્બ કરે છે. દરમિયાન કટોરી અમ્મા (હિમાની શિવપુરી)ને આખા પરિવાર સાથે લગ્નમાં હાજરી આપવા સંબંધી પાસેથી કોલ આવે છે.

જોકે રાજેશ તબિયતનું બહાનું કરે છે, જેથી તે અને હપ્પુ અમુક રોમેન્ટિક પળો વિતાવી શકે. આખરે તેમને એકાંત મળે છે. તેઓ રોમેન્ટિક બનવાના જ હોય છે ત્યાં જ કેટ (આશના કિશોર)ની વિનંતીથી તબિયતના સમાચાર પૂછવા માટે કમલેશ (સંજય ચૌધરી) ફળોની બેગ લઈને આવી ચઢેછે. રાજેશ અને હપ્પુ આ સ્થિતિમાંથી કઈ રીતે છટકી જશે તે જોવાની મજા આવશે!”

એન્ડટીવી પર ભાભીજી ઘર પર હૈનો વિભૂતિ (આસીફ શેખ) કહે છે, “પ્રેમ (વિશ્વજિત સોની) વિભૂતિ (આસીફ શેખ)ને નીલ અંગૂઠી બતાવીને કહે છે કે આ વીંટી લકી છે, જે તેને એક બાબાએ રૂ. 10,000માં આપી હતી. વિભૂતિ પણ તે જ બાબા પાસે જાય છે અને પોતાને માટે વીંટી ખરીદી કરે છે. તે પાછો આવતો છે ત્યારે બે ગુંડા તેને પીટે છે,

જે સમયે ચાચા (અનુપ ઉપાધ્યાય) આવે છે અને તેને બચાવીને ડોક્ટર પાસે લઈ જાય છે, જ્યાં વિભૂતિ અંગૂઠી વિશે વાત કરે છે, જેને લીધે ડોક્ટર અને ટીએમટી પણ પોતાને માટે વીંટી લેવા લાલચમાં આવી જાય છે.

ચાચા વિભૂતિને વીંટી કાઢી નાખવા કહીને જણાવે છે કે તે તેને માટે લકી નથી. વિભૂતિ આંગળીમાંથી વીંટી કાઢવા જાય છે ત્યારે તે અટકી જાય છે અને તે અંગૂઠી કાઢવામાં મદદ માટે અંગૂરી (શુભાંગી અત્રે) પાસે જાય છે. અંગૂરી તિવારીના વર્તનથી નારાજ થાય છે અને સાસુ અમ્માજી (સોમા રાઠોડ)ને ફરિયાદ કરે છે.

સાસુજી કહે છે કે પંડિત રામફલે મનમોહનને નીલમ અંગૂઠી પહેરાવવાનું સૂચન કર્યું છે. આ સાંભળીને વિભૂતિ તિવારીને ઉચ્ચ ભાવે વીંટી વેચવા માટે અંગૂઠી વિક્રેતાનો સ્વાંગ ધારણ કરે છે. શું વિભૂતિ તેમાં સફળ થશે અને તેનું કમભાગ્ય તિવારીને આપશે?”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.