Western Times News

Gujarati News

સાંસદના સમર્થનમાં ઝઘડીયામાં ભાજપા દ્વારા પ્રાંત અધિકારીને આવેદન આપવામાં આવ્યુ

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) તાજેતરમાં કરજણ તાલુકામાં એક રેતીના ડમ્પરની ટક્કરે ત્રણ વ્યક્તિઓના મોત થયા હતા.આ ઘટનાને લઈને ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ મામલતદાર અને જવાબદાર કર્મચારીઓનો ઉધડો લીધો હતો.ઓવરલોડ વાહનો અધિકારીઓના મેળાપીપણા હેઠળ ચાલતા હોવાનું જણાવી સાંસદ ગુસ્સે થયા હતા.

દરમ્યાન કેટલાક કર્મચારી સંગઠનોએ આ બાબતે સાંસદ વિરુધ્ધ આવેદન આપ્યા હતા.આજરોજ ઝઘડીયા તાલુકા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરોએ ઝઘડીયા પ્રાંત અધિકારીને સાંસદ મનસુખભાઈ વસાવાના સમર્થનમાં આવેદન પાઠવ્યુ હતુ.

આ આવેદનમાં બેફામ ચાલતા રેત ખનન અને ઓવરલોડ જથ્થો ભરીને દોડતા વાહનોના કારણે અકસ્માત થતા હોવાની લાગણી વ્યક્ત કરીને ઝઘડીયા તાલુકા ભાજપા અગ્રણીઓએ સાંસદ મનસુખભાઈ વસાવાએ બેફામ દોડતા ઓવરલોડ વાહનોનો વિરોધ કર્યો હતો તેને સમર્થન આપ્યુ હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.