બેંકનું લોકર પણ સુરક્ષિત નથી,બેંકના લોકરમાંથી ૬૫ લાખના દાગીના ગાયબ થયા

ગાઝિયાબાદ, ગાઝિયાબાદના પોલીસ સ્ટેશન સિહાની ગેટ વિસ્તારમાં સ્થિત પંજાબ નેશનલ બેંકના એક બ્રાંચમાં હેરાફેરીનો અનોખો મામલો સામે આવ્યો છે. બેંકના એક લોકરમાં રાખેલા અંદાજે ૬૫ લાખ રૂપિયાના ઘરેણા પર કોઈએ હાથ સાફ કર્યો છે, પણ તે વાતની કોઈને પણ જાણ થઇ ન હતી. ત્યાં સુધી કે બેંકના કર્મચારી પણ એ વાત વિશે અજાણ હતા. હવે બેંકના કર્મચારીઓ પર ફરિયાદ નોંધાઈ છે.
વાત એવી છે કે, અશોક નગરની રહેવાસી પ્રિયંકા ગુપ્તાનું અકાઉન્ટ ગત ૨૦ વર્ષથી સિહાની ગેટ પોલીસ સ્ટેશનના નેહરૂ નગર વિસ્તારમાં આવેલી પંજાબ નેશનલ બેંકની એક શાખામાં ખોલવામાં આવ્યું હતું. પ્રિયંકા ગુપ્તાએ આ જ બેંકના લોકરમાં પોતાના ઘરેણા મૂક્યા હતા, તેની કિંમત અંદાજે ૬૫ લાખ રૂપિયા કહેવામાં આવી રહી છે. પ્રિયંકાએ છેલ્લે ૨૦૧૯મા લોકરનો ઉપયોગ કર્યો હતો.
ત્યાર બાદ પ્રિયંકાએ ડિસેમ્બર ૨૦૨૧મા લોકર ખોલવા માટે બેંક સાથે સંપર્ક કર્યો હતો, તો તેનું લોકર ખુલતું ન હતું, કેમ કે તેનામાં તેની ચાવી લાગતી ન હતી. ત્યાર બાદ બેંક કર્મચારીઓ અને મેનેજર દ્વારા તેમને એક નંબર આપીને કહેવામાં આવ્યું કે, જલદી જ લોકર ખોલ્યા પછી તમને જાણ કરવામાં આવશે.
સતત બે દિવસ સંપર્ક કર્યા પછી પણ, જ્યારે પ્રિયંકા ગુપ્તાને જવાબ ન મળ્યો, ત્યારે પ્રિયંકાએ લોકરને તોડવાનો ર્નિણય લીધો, ત્યાર બાદ બેંક કર્મચારીઓની ઉપસ્થિતિમાં આ લોકરને તોડવામાં આવ્યું હતું, જ્યારે લોકર તૂટ્યું, ત્યારે પ્રિયંકા ગુપ્તાના હોંશ ઉડી ગયા.
કેમ કે, લોકરમાં રાખેલો તેનો કિંમતી સામાન ગાયબ હતો.માત્ર પીળા કપડામાં રાખેલો થોડોક સામાન જ બચ્યો હતો. લોકરમાં રાખેલા અંદાજે ૬૫ લાખ રૂપિયાના ઘરેણા ગાયબ થઇ ગયા હતા, ત્યાર બાદ પ્રિયંકા ગુપ્તાએ ગાઝિયાબાદના સિહાની ગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.પોલીસનું કહેવું છે કે, અમે આ મામલો નોંધ્યો છે અને કાર્યવાહી કરવામાં આવી રહી છે.
લોકો પોતાનો મુલ્યવાન સામાન માટે પોતાના ઘરથી વધુ બેંકના લોકરને સુરક્ષિત માને છે, હવે બેંકના લોકરથી જાે સામાન ગાયબ થવા લાગ્યો છે, ત્યારે લોકોનો બેંક પરથી વિશ્વાસ ઉઠવો યોગ્ય છે. પોલીસે ૨૦૧૯થી આ શાખામાં કાર્ય કરતા કર્મચારીઓ વિરૂદ્ધ કેસ નોંધ્યો છે.HS