બાદલ, સિધ્ધુ, ચન્ની અને અમરિન્દરની કારમી હાર

નવી દિલ્હી, પંજાબ વિધાનસભા ચૂંટણીના જાહેર થઈ રહેલા પરિણામમાં આપનુ રીતસરનુ વાવાઝોડુ ફુંકાયુ છે અને તમામ વિપક્ષી પાર્ટીના દિગ્ગજ નેતાઓ તેમાં સાફ થઈ ગયા છે.
પંજાબ કદાચ એવુ એક માત્ર રાજ્ય્ છે જ્યાં કોંગ્રેસ અને અકાલી દળના ટોચના નેતાઓ ચૂંટણી હારી ગયા છે. જેમ કે અકાલી દળના સુખબીરસિંહ બાદલે પોતાની હાર સ્વીકારી લીધી છે.
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ સિધ્ધુ પણ અમૃતસર બેઠક પરથી હારી ગયા છે.સીએમ ચન્ની તો બંને બેઠકો પરથી હારી ચુકયા છે. અકાલી દળના ટોચના નેતા વિક્રમ મજિઠિયાને પણ કારમી હારનો સામનો કરવો પડ્યો છે.અકાલી દળના સિનિયર નેતા પ્રકાશ સિંહ બાદલ પણ ચૂંટણી હારી ચુકયા હોવાનુ એલાન આમ આદમી પાર્ટીના સીએમ પદના ઉમેદવાર ભગવતસિંહ માન કરી ચુકયા છે.
આ સિવાય પંજાબના પૂર્વ સીએમ કેપ્ટન અમરિન્દરસિંહને પણ પટિયાલા બેઠક પરથી કારમી હારનો સામનો કરવો પડ્યો છે.SSS