Western Times News

Gujarati News

કરતારપુર સાહિબમાં ગુરુ નાનકે ખેતી કરી હતી ત્યાં હવે ફરીથી મોટા પાયે ખેતી કરાશે

જાલંધર, કરતારપુર સાહિબના દર્શનાર્થે પાકિસ્તાન જતા શ્રદ્વાળુઓને હવે ગુરુના લંગરમાં જે પ્રસાદી અપાશે તે એ જ ખેતપેદાશોની ઉપજ હશે જ્યાં ૧૮ વર્ષ સુધી સ્વયં ગુરુ નાનક દેવએ ખેતી કરી હતી. પ્રસાદમાં અપાતા ફળો પણ ગુરુના ઉદ્યાનથી જ આવશે. કરતારપુર સાહિબના ગુરુદ્વારા દરબાર સાહિબના મુખ્ય પ્રમુખ જ્ઞાની ગોબિંદ સિંહ અનુસાર આ વર્ષે ૨૨ જૂનથી આ યોજના શરૂ થશે.

ગુરુ નાનક દેવેએ પોતાના જીવનના અંતિમ ૧૮ વર્ષો કરતારપુર સાહિબમાં વ્યતિત કર્યા હતા. ગુરુદ્વારા મેનેજમેન્ટ માટે પાકિસ્તાન સરકાર તરફથી શરૂ કરાયેલ પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટ (પીએમયુ)એ આ માટે ૬૪ એકર જમીન ફાળવી છે.

૧૫ એકરમાં સૂરજમુખીનું વાવેતર કરાયું છે. ૧૦ એકરમાં જૈતૂન તેમજ ૧૦-૧૦ એકરમાં ઘઉં અને મકાઇનું વાવેતર કરાશે. ૧૦ એકરમાં ફળોનો બગીચો બની રહ્યો છે. જેમાં જામફળના જ ૨૦૦ વૃક્ષો ઉગાડવામાં આવશે. દાળ અને અન્ય શાકભાજી માટે પણ વિશાળ વાવેતર વિસ્તાર રહેશે.

પાક. શીખ ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટીના સભ્ય ઇન્દ્રજીત સિંહે કહ્યું કે, પહેલા ગુરુદ્વારા સાહિબમાં શ્રદ્વાળુઓ જ લંગરનો સામાન મોકલતા હતા. હવે અહીંયા જ સામાન મળી રહેશે. ગુરુના ખેતરના પાકના વાવેતરમાં છાણ અને અન્ય જૈવિક ખાતરનો જ ઉપયોગ કરાશે.

પીએમયુના સીઇઓ મોહમ્મદ લતીફે જણાવ્યું કે, કરતારપુર સાહિબમાં વસવાટ દરમિયાન ગુરુ નાનક દેવે જ્યાં ખેતી કરી, તે આજે પણ ગુરુદ્વારા સાહિબની પાસે જ છે. હવે ત્યાં જ ફરીથી ખેતી કરાશે. પંજાબથી આવતા શ્રદ્વાળુઓને કોઇ મુશ્કેલી ના નડે તે માટે આ ખેતરોમાં પંજાબી ભાષામાં બોર્ડ લગાવાયા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.