Western Times News

Gujarati News

યુક્રેનમાં મેડિકલનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વગર પરીક્ષાએ MBBSની ડિગ્રી મળશે

નવીદિલ્હી, યુક્રેનમાં મેડિસિનનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છેલ્લા કેટલાક દિવસોથી ખૂબ જ પરેશાન છે. રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ ક્યારે સમાપ્ત થશે અને ભારતના વિદ્યાર્થીઓ ત્યાં ફરી ક્યારે પાછા ફરશે તે વિશે કંઈ કહી શકાય એમ નથી. પરંતુ આ દરમિયાન ત્યાં ભણતા એમબીબીએસના વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર છે. યુક્રેન સરકારે અંતિમ વર્ષના વિદ્યાર્થીઓને પરીક્ષા વિના ડિગ્રી આપવાનો ર્નિણય લીધો છે.

અંગ્રેજી અખબારના અહેવાલ અનુસાર, યુક્રેનની સરકારે લાઇસન્સિંગ પરીક્ષાને રદ કરવાનો ર્નિણય લીધો છે. હવે વિદ્યાર્થીઓને આ પરીક્ષા વિના એમબીબીએસની ડિગ્રી મળશે. તમને જણાવી દઈએ કે યુક્રેનમાં મેડિસિન અને ફાર્મસીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ અલગ-અલગ બે પરીક્ષા પાસ કરવી પડે છે. આ પરીક્ષાને કેઆરઓકે-૧ અને કેઆરઓકે-૨ નામ આપવામાં આવ્યું છે.

તબીબી વિદ્યાર્થીઓએ ત્રીજા વર્ષમાં કેઆરઓકે-૧ પરીક્ષા પાસ કરવી પડશે. જ્યારે છેલ્લા એટલે કે ચોથા વર્ષમાં કેઆરઓકે-૨માં પાસ થવાનું હોય છે. તે પછી જ તેમને અંતિમ ડિગ્રી આપવામાં આવે છે.

યુક્રેનની સત્તાવાર વેબસાઈટ પર અપલોડ કરાયેલી સૂચના અનુસાર, કેઆરઓકે ૧ આવતા વર્ષ સુધી રદ કરવામાં આવી છે. જ્યારે આ વર્ષ માટે કેઆરઓકે-૨ રદ કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળની એક વિદ્યાર્થીની સુધાજ્યોતિ સિંઘાએ જણાવ્યું કે વિદ્યાર્થીઓ માટે આ રાહતના સમાચાર છે. તેણે અખબારને કહ્યું, ‘બંગાળમાં કુલ ૧૩ વિદ્યાર્થીઓ છે. રાજ્ય સરકારે અમને પહેલાથી જ સરકારી હોસ્પિટલમાં ઇન્ટર્નશિપ કરાવવાનું વચન આપ્યું છે.

તમને જણાવી દઈએ કે સંસદમાં ચાલી રહેલા બજેટ સત્ર દરમિયાન વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે રશિયન આક્રમકતા વચ્ચે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવાનું સૌથી પડકારજનક કાર્ય પૂર્ણ થઈ ગયું છે. કેન્દ્ર સરકારના ઓપરેશન ગંગા હેઠળ, ૨૦,૦૦૦ થી વધુ ભારતીય નાગરિકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. જેમાં મોટાભાગના વિદ્યાર્થીઓ હતા.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.