Western Times News

Gujarati News

કોરોનામાં મૃત્યુ વળતરના ખોટા દાવાની તપાસ માટે સુપ્રીમની મંજૂરી

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે કોરોના વાયરસના કારણે થયેલા મૃત્યુ મામલે વળતર મેળવવા માટે જે ખોટા દાવાઓ કરવામાં આવેલા તે અંગે ખૂબ જ મહત્વનો ર્નિણય સંભળાવ્યો છે.

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કોરોનાથી થયેલા મૃત્યુ મામલે વળતર મેળવવા જે ખોટા દાવાઓ દાખલ કરવામાં આવેલા તેના આરોપોની તપાસ માટે મંજૂરી આપી છે. તેના અંતર્ગત આંધ્ર પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, કેરળમાં દાખલ થયેલા વળતરના દાવાઓ પૈકીના ૫ ટકા દાવાઓની સમીક્ષા કરવામાં આવશે.

કોર્ટે ૨૮મી માર્ચ સુધી કોરોનાથી જે મૃત્યુ થયા હોય તેના માટે વળતરનો દાવો કરવા ૬૦ દિવસની સમય મર્યાદા નક્કી કરી છે. જ્યારે ભવિષ્યમાં થનારા મૃત્યુ મામલે વળતર મેળવવા ૯૦ દિવસની અંદર દાવો કરવાનો રહેશે.

અગાઉ સોમવારે પણ સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી થઈ હતી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, કોવિડ-૧૯ના કારણે થયેલા મૃત્યુ મામલે ઓથોરિટીઝ પાસે વળતર ચુકવણીનો દાવો કરવા માટે કેન્દ્ર દ્વારા ૪ સપ્તાહની સમય મર્યાદા આપવામાં આવી છે તે પર્યાપ્ત નથી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.