રાજ્યમાં કોરોના વાયરસના નવા કુલ ૨૬ કેસ નોંધાયા
ગાંધીનગર, ગુજરાતમાં દિવસેને દિવસે કોરોના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. પરંતુ ગઈકાલની સરખામણીએ આજે થોડો વધારો નોંધાયો છે. આજે કોરોનાના ૨૬ નવા કેસ નોંધાયા છે. તો બીજી તરફ ૩૦ દર્દીઓ રિકવર પણ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ ૧૨,૧૨,૫૯૫ નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે.
જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને ૯૯.૦૮ ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે ૧,૯૫,૪૪૪ નાગરિકોનું રસીકરણ થયું છે. બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ ૨૯૫ એક્ટિવ કેસ છે.
જે પૈકી ૦૨ નાગરિકો વેન્ટિલેટર પર છે. જ્યારે ૨૯૩ નાગરિકો સ્ટેબલ છે. જ્યારે ૧૨,૧૨,૫૯૫ નાગરિકો અત્યાર સુધીમાં ડિસ્ચાર્જ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કોરોનાને કારણે કુલ ૧૦,૯૪૨ નાગરિકોનાં મોત થઇ ચુક્યાં છે. આજે રાજ્યમાં કોરોના કેસની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં ૧૮, વડોદરા કોર્પોરેશન ૩, દાહોદ ૧, ડાંગ ૧, ગાંધીનગર કોર્પોરેશન ૧, વડોદરા ૧, વલસાડ ૧ એમ કુલ ૨૬ કેસ નોંધાયા છે.
રસીકરણના મોરચે સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે ૧૮ વર્ષથી વધારેની ઉંમરના ૩૩૨૧ ને રસીનો પ્રથમ અને ૨૧૧૦૫ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. ૧૫-૧૭ વર્ષના નાગરિકો પૈકી ૨૮૮૭ ને રસીનો પ્રથમ અને ૧૧૬૧૧ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. આ ઉપરાંત ૧૫૨૬૦ ને પ્રિકોર્શ ડોઝ અને ૧૨-૧૪ વર્ષના તરૂણો પૈકી ૧૪૧૨૬૦ ને રસીનો પ્રથમ ડોઝ અપાયો હતો. આ પ્રકારે કુલ ૧,૯૫,૪૪૪ રસીના ડોઝ આજના દિવસમાં અને અત્યાર સુધીમાં કુલ ૧૦,૫૫,૩૯,૫૧૨ રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.SSS