Western Times News

Gujarati News

મોદીની હત્યા માટે ૨૦ કિલો આરડીએક્સ મોકલ્યાની ધમકી

નવી દિલ્હી, દેશનાં વડાપ્રધાનને લઇને એક મોટા સમાચાર આવી રહ્યાં છે. પીએમ મોદીને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જીવનું જાેખમ હોવાનું એક ઈમેઈલ મળ્યો છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી(એનઆઈએ)ની મુંબઈની બ્રાંચને એક ઈ-મેઈલ મળ્યો છે જેમાં નરેન્દ્ર મોદીને મારી નાખવાની ધમકી મળી છે.

પીએમ મોદીને મારવા માટે ૨૦ કિલો આરડીએક્સ જે-તે રાજ્યમાં પહોંચાડવામાં આવી ચૂક્યો છે. આ આરડીએક્સની જ પીએમ મોદીને ઉડાડી દેવાનો દાવો ઈમેઈલમાં કરવામાં આવ્યો છે.જાેકે આ મેઈલ અંગે સરકાર કે એજન્સી તરફથી આધિકારીક નિવેદન અને ઈ-મેઈલની ખરાઈની રાહ જાેવાઈ રહી છે. મીડિયા અહેવાલમાં જણાવાયું છે કે ઈ-મેઈલ મુજબ હુમલાની યોજના તૈયાર છે.

જેણે મેલ કર્યો છે તેણે અનેક આતંકવાદીઓ સાથે પોતાના સંબંધ હોવાનો સ્વીકાર કર્યો છે. ભારતના વડાપ્રધાન મોદીને આત્મઘાતી હુમલામાં મારવાનું કાવતરૂં ઘડાયું હોવાની કબૂલાત કરવામાં આવી છે. ઈમેલ કરનારે કહ્યું છે કે તે આત્મહત્યા કરી રહ્યો છે તેથી આ ષડયંત્રનો પર્દાફાશ ન થાય.

આ ધમકીભર્યા મેઈલ રાષ્ટ્રીય તપાસ એજન્સીએ ગુપ્તચર અને સુરક્ષા એજન્સીઓને મોકલ્યા હતા અને સઘન તપાસ કરવા આદેશ અપાયો છે. જે મેઈલ આઈડી પરથી મેઈલ આવ્યો છે તેની તપાસ ચાલી રહી છે. આ ઈમેલ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીની મુંબઈ શાખામાં પહોંચ્યો હતો.

મેઈલ કરનારે કહ્યું કે, પીએમ મોદીએ મારૂં જીવન બગાડ્યું છે, તેમણે મારૂં જીવન ખતમ કરી દીદ્યું છે. હું મોદીને પણ મારી નાખીશ અને એટલું જ નહિ ૨૦ કિલો આરડીએક્સ સાથે ૨ કરોડ લોકોને પણ મારી નાખીશ. અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ રાજસ્થાનમાં ૧૦ કિલો આરડીએક્સ સાથે પોલિસે ત્રણ આરોપીઓને પકડ્યાં હતા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.