Western Times News

Gujarati News

નીલ ગાયની ગોળી મારી હત્યા: જીવદયા પ્રેમીઓમાં રોષ

પાટણ, પાટણ જિલ્લાના રાધનપુર પંથકમાં અજાણ્યા શખ્સ દ્વારા નીલગાયની બંદૂકની ગોળી મારીને હત્યા કરાઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ઘટનાના પગલે વન વિભાગની ટીમે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે રેલવે સટેશનની બાજુમાં આવેલી નર્મદા કેનાલ નજીક અજાણ્યા શખ્સ દ્વારા નીલગાય ઉપર બંદૂકની ગોળી છોડી તેની હત્યા કરતા અને આ બાબતની જાણ આસપાસના લોકોને થતાં તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

ઘટનાની જાણ વનવિભાગના અધિકારીઓને કરતા તેઓએ ઘટના સ્થળે આવી મૃત નીલગાયને પીએમ માટે ખસેડી આગળની તજવીજ હાથ ધરી છે. રાધનપુર પંથકમાં અબોલ નીલગાય ઉપર કોઈ અજાણ્યા શખ્સ દ્વારા બંદૂકની ગોળી છોડી કરાયેલી હત્યાના પગલે જીવદયા પ્રેમીઓમાં રોષ ફેલાઈ જવા પામ્યો હતો.

સાથે સાથે નીલગાય ઉપર ગોળી છોડનાર અજાણ્યા શખ્સને ઝડપી લેવા અને તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ પણ જીવદયા પ્રેમીઓ દ્વારા કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.