Western Times News

Gujarati News

રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચુંટણીમાં NDA ના ઉમેદવારો ચૂંટાશે એવુ લગભગ નિશ્ચિત

નવીદિલ્હી, ભારત સહીત દુનિયા ભરમાં નાનામાં નાનીથી લઈને મોટામાં મોટી ચૂંટણી હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહે છે. ત્યારે હાલમાં દેશમાં રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે રાજકીય ઉત્તેજના વધવા લાગી છે. સંસદના બંને ગૃહો અને રાજ્યોની વિધાનસભાઓમાં ભાજપ અને તેના ગઠબંધનની તાકાતને ધ્યાનમાં લેતા, આ બંને પદો પર NDAના ઉમેદવારો ચૂંટાશે એવુ લગભગ નિશ્ચિત છે.

ત્યારે ચૂંટણીની વ્યુરચના સંપૂર્ણપણે વડપ્રધાન Narendra Modi અને ગૃહ પ્રધાન Amit Shah ના હાથમાં રહેશે એવા સમાચાર મળી રહ્યા છે. જ્યારે સંપર્ક, સંવાદ અને સંકલનનો મોરચો રક્ષામંત્રી રાજનાથ સિંહ, વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ અને સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જાેશી સંભાળશે. આ ઉપરાંત વિવિધ રાજ્યોમાં ભાજપ અને એનડીએના મુખ્યમંત્રીઓની ભૂમિકા પણ ચૂંટણી મહત્વની રહેશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે જે વ્યૂહાત્મક ટીમની તૈયારી કરી રહી છે તેના કેન્દ્રમાં વડાપ્રધાન મોદી અને અમિત શાહ હશે. આ સાથે પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સંસદથી લઈને વિવિધ વિધાનસભા સુધી મોરચો સંભાળશે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ લોકસભાની રણનીતિના કેન્દ્રમાં રહેશે, જ્યારે રાજ્યસભામાં ગૃહના નેતા અને વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ મહત્વની ભૂમિકા ભજવશે.

સંગઠન સ્તરે પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા ચાર્જ સંભાળશે. સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જાેશી સંસદના બંને ગૃહોમાં સંકલનનું કામ કરશે. જે રાજ્યોમાં બીજેપી અને એનડીએની સરકાર છે ત્યાં મુખ્યમંત્રી તેમની પાર્ટી અને ગઠબંધન સાથે મોરચો સંભાળશે.

સુત્રો જણાવે છે કે, ભાજપ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ પદ માટે સૌ પ્રથમ સર્વસંમતિ બનાવવાનો પ્રયાસ કરશે. જાે કે, વિપક્ષ સાથેના વર્તમાન સંબંધોને જાેતા, આ ખૂબ જ અસંભવિત છે. આવી સ્થિતિમાં ભાજપ પોતાની ચૂંટણીમાં જીત વધારવા માટે વિપક્ષી છાવણીમાં પણ ખળભળાટ મચાવી શકે છે. બીજેડી અને વાયએસઆરસીપી જેવા બિન-યુપીએ પક્ષો ભાજપને સમર્થન આપવા માટે બંધાયેલા છે.

આ કામ સંસદથી લઈને રાજ્યની વિધાનસભાઓ સુધી કરવામાં આવશે. કોઈપણ રીતે, તેમને ઘણા વિષયો પર સંસદમાં બીજેડી અને વાયએસઆરસીપીનું સમર્થન મળી રહ્યું છે. રાષ્ટ્રપતિની ચૂંટણી માટેનું જાહેરનામું જૂનના મધ્યમાં બહાર પાડવામાં આવે તેવી શક્યતા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, બીજેપી નેતૃત્વએ આ અંગે રણનીતિ બનાવવાનું શરૂ કરી દીધું છે. ઉમેદવારોના નામને લઈને ગણગણાટ શરૂ થઈ ગયો છે. તે જ સમયે બિન-એનડીએ પક્ષોને ટાર્ગેટ કરવાનું પણ કામ ચાલી રહ્યું છે. મે મહિનાથી આ પક્ષો સાથે ઔપચારિક સંવાદ અને સંપર્કનું કામ શરૂ થશે.

રાષ્ટ્રપતિની ચૂંટણી મંડળ ૧૦,૯૮,૯૦૩ મતોની છે. આમાં બહુમતનો આંકડો ૫,૪૯,૪૫૨ છે. આમાં એક સાંસદની વોટ વેલ્યુ ૭૦૮ છે. દેશના ૪,૧૨૦ ધારાસભ્યો પૈકી, ધારાસભ્યના મતનું મૂલ્ય દરેક રાજ્યની વસ્તી અને બેઠકોની સંખ્યાના આધારે બદલાય છે.

ઉત્તર પ્રદેશના ધારાસભ્યને સૌથી વધુ ૨૦૮ વોટ મળ્યા છે. સંસદના બંને ગૃહો અને રાજ્ય વિધાનસભાઓના આંકડાઓ પર નજર કરીએ તો, કેન્દ્રમાં સત્તારૂઢ ભાજપ અને તેના સહયોગી એનડીએને લગભગ ૯,૦૦૦ મતોની કમી જાેવા મળી રહી છે. આવી સ્થિતિમાં તે કેટલીક પ્રાદેશિક પાર્ટીઓનો ટેકો લઈને સરળતાથી ચૂંટણી જીતી શકે છે. વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ આ વર્ષે ૨૪ જુલાઈએ પૂરો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં જુલાઈમાં ચૂંટણી માટે મતદાન થશે. આ પછી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી થશે.

જાેકે, ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં માત્ર લોકસભા અને રાજ્યસભાના સાંસદોએ જ મતદાન કરવાનું હોય છે, તેથી ત્યાં BJP અને NDA પાસે નોંધપાત્ર બહુમતી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.