Western Times News

Gujarati News

“આપ”ના નેતા સૌરભ ભારદ્વાજે કહ્યું “ભાજપ તોફાની પાર્ટી છે…”

જહાંગીરપુરી હિંસા કેસમાં હવે આરોપ-પ્રત્યારોપનો દોર શરૂ થઈ ગયો છે. BJPના આરોપો પર AAPએ પલટવાર કર્યો છે.

ભાજપ પર પ્રહાર કરતા આપ નેતા અને પાર્ટીના વરિષ્ઠ પ્રવક્તા સૌરભ ભારદ્વાજે કહ્યું કે “ઉત્તર પ્રદેશમાં યુપી પોલીસની હાલત રાષ્ટ્રીય રાજધાનીમાં દિલ્હી પોલીસ જેવી જ છે.” તેમણે કહ્યું કે અહીં રાજકીય પોલીસિંગ છે. તેમના મતે ભાજપના પ્રવક્તા અને દિલ્હી પોલીસની સ્ક્રીપ્ટ સમાન છે. પ્રવક્તા જે કહે છે તે જ દિલ્હી પોલીસ પણ બોલે છે.

ભાજપ પર આરોપ લગાવતા સૌરભ ભારદ્વાજે કહ્યું કે “ભાજપ તોફાની પાર્ટી છે. આ રમખાણો એક રાજ્યમાં થયા ન હતા. થોડા દિવસો પહેલા તેણે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને કર્ણાટકમાં રમખાણો કરાવ્યા હતા. ભાજપના સમર્થકો જોણે છે કે તેમની પાસે રમખાણોનું આયોજન કરવાની કુશળતા છે.”

વાસ્તવમાં, તેમણે આ વાત જહાંગીરપુરી હિંસાના મુખ્ય આરોપી અંસારની આપની કેપની વાયરલ તસવીરનો જવાબ આપતાં કહી હતી. તેમણે કહ્યું કે દિલ્હીમાં અમને ૫૨ ટકા વોટ મળ્યા છે. દરેક અન્ય વ્યક્તિ આમ આદમી પાર્ટીને સમર્થન આપે છે. મારી સાથે આદેશ ગુપ્તાનો પણ ફોટો છે.

ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ કહ્યું કે મહારાષ્ટ્ર, રાજસ્થાન અને બંગાળમાં વિરોધ પક્ષો શું કરી રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં સંવાદિતાને ખલેલ પહોંચાડનારી રાજનીતિ થઈ રહી છે. હવે વિપક્ષના ભ્રષ્ટાચારની વહેંચણીના રાજકારણનો અંત આવી રહ્યો છે. ગૌરવ ભાટિયાએ કહ્યું કે ભાજપના રાષ્ટ્રોય અધ્યક્ષ જેપી નડ્ડાએ પત્ર લખીને કેટલાક પ્રશ્નો ઉઠાવ્યા છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.